SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૨૭૩ કે અહા ! મારા પ્રત્યે મારી પત્નીનો કેટલે બધે! પ્રેમ છે! આવી પ્રેમાળ પત્ની કોઈને મળી હશે કે કેમ તે શંકાની વાત છે. આવી પત્ની પાછળ મારુ' આપુ' જીવન ન્યચ્છાવર કરુ તા પણ ઓછુ છે. લાલાજીના જીવનમાં જેટલેા ત્યાગ હતા એટલુ જ એનું જીવન ભાગમય બની ગયું. પત્ની પાછળ લાલાજી તેા પાગલ થઇ ગયા. ધમને તે સાવ ભૂલી ગયા. ધર્મ ભૂલેલાને સાચા રાહે વાળવા સંતના પ્રયત્ન ઃ ચાર પાંચ વર્ષ લાલાજીના ગુરૂ તે ગામમાં પધાર્યાં. બધા જીવા તેમના દર્શન કરવા ગયા પણ લાલાજી ન ગયા. સંત કહે પેલા ધર્મિષ્ઠ શેઠ લાલાજી કેમ દેખાતા નથી? સંતને ખબર નથી કે લાલાજી નવી નારી પરણ્યા છે અને તેના માહમાં પડી ગયા છે. સંતના મનમાં થયું કે લાખા રૂપિયાના ધનના ઢગલામાં અને પત્નીના હાવભાવમાં માહના કીડા બનીને તેના આત્માનું બગાડવા ઊઠયા છે ! ભલે તે નથી આવતા પણ હું સામેથી જાઉ' ને તેનુ' જીવન સુધારુ'. સંત તેા ઝેળીમાં પાતરા લઈ ને ઉપડયા ને આવ્યા લાલાજી પાસે. ત્યારે લાલાજી દુકાને બેઠા હતા. સંત કહે કેમ લાલાજી ! ઉપાશ્રયે બિલકુલ આવતા નથી! શેઠ તા જાણે કઈ સાંભળતા નથી તેમની દૃષ્ટિ તેા ઊંચે રૂપરાણીને જોવામાં છે. સંતના મનમાં થયું' કે લાલાજી તેા માહમાં એવા અટવાઈ ગયા છે કે તેને મારા સામુ જોવાની પણ ફુરસદ નથી. સંત બે મિનિટ ઊભા રહ્યા. ફરીવાર ખેલ્યા. લાલાજી ! ધર્માંકરણી કરે છે કે કર્મ કરણી કરે છે ? ગુરૂદેવ ! મારા પુણ્યાયે મને એવી સુંદર પતિવ્રતા પત્ની મળી છે, કે જે મારા વિના એક ક્ષણુ પણ રહી શકતી નથી. જો હું તેનાથી દૂર જાઉં તે મારા વિના પ્રાણ કાઢી નાંખે એવું કરે છે. હું એની સાથે જિંગીના આનંદ માણી રહ્યો છું. મને તા ધમ કરવાના કે જિનવાણી સાંભળવાને જરાય ટાઈમ મળતા નથી. સંતના મનમાં થયું કે લાલાજી જો આ ભાગમાં ખૂ'ચ્યા રહેશે તે એની દુર્ગતિ થશે. માટે એક વાર તેમને સત્ય સમજાવું. એમ વિચારી સ ંતે કહ્યું, તું કહે છે કે તારી પત્ની તારા વિના એક ક્ષણ પણ રહી શકતી નથી પણુ હું તે વાત કેવી રીતે માનું ? હું તને એક રસ્તા બતાવું. તે પ્રમાણે તુ કર. તેમાં જો તુ સફળ થાય તેા તુ પત્નીના અને સફળ ન થાય તે તું મારેા. એલ, કબૂલ છે ? એમ કહી મહારાજ તેા ગયા. સંતને શેઠની પાસે ઊભેલા જોઈ ને તે ધમપછાડા કરવા લાગી. કાણુ સાધુડો મળ્યા છે ? તે સાધુ તેા નિહ થઈ જાય ને ? શેઠ ઉપર આવ્યા. પછી શેઠાણી સાથે જે વ્યવહાર હતા તે બધુ કર્યુ.. એટલે નવા રાણી બધું સમજી ગયા કે સંતના સંગની કોઈ અસર થઈ નથી તેથી તેના હૈયામાં ટાઢક વળી. શેઠે ખાધુ', પી', પછી ઉપર જઈ ને સૂઈ ગયા. બે ત્રણ કલાક થયા છતાં ઊઠયા નહિ. શેઠાણી ઉપર આવીને જુએ છે તે તેમની આખા ચઢી ગઈ છે. શેઠાણી ગભરાયા. નક્કી શેઠને કંઈ થયુ' લાગે છે. તે હાલતા ચાલતા નથી ને શ્વાસ પણ ચાલતા નથી. શેઠ મરી ગયા લાગે છે. હવે શું કરવું ? ૧૮
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy