SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] [ શારદા શિરેમણિ રાજાએ તેમને આદર સત્કાર કર્યો, પછી કહ્યું–મારા માથે એક ધર્મસંકટ આવ્યું છે, આપ મને માર્ગ બતાવે. શિકારને બંધ કરાવેલ છે. રાજાએ તેમને બધી વાત કરીને કહ્યું કે સંત નારાજ થાય નહિ, તેમને મારા તરફથી સંતોષ થાય અને મારું કામ થાય તે રસ્તો બતાવે. મારા પ્રાણના ભોગે પણ સંતને પ્રસન્ન કરવા હું તૈયાર છું. રાજન ! આ તે સામાન્ય વાત છે. હમણાં તેની ગૂંચ ઉકેલી આપું, જેથી સંતને અસંતોષ નહિ થાય. તમારી ગૌશાળામાંથી એક કામધેનું જેવી ગાય આ માછીમારને આપી દે. તે ગાયનું તેમને ખૂબ દૂધ મળે. તે બધા દૂધ ખાય અને બીજું દૂધ વેચીને તેમાંથી આજીવિકા ચલાવે. આ વાત કહી ત્યારે સંતના મુખ પર સંતોષ અને પ્રસન્નતા દેખાયા. રાજા કહે, એક શું (!) હું ૧૦૦ ગાય આપું. સંત ખૂબ ખુશી થયા, પછી સંતે કહ્યું-રાજન ! તમે એને આખું રાજ્ય આપવા તૈયાર થયા પણ એને રાજ્ય ચલાવવાનું શું જ્ઞાન ! રાજ્ય માટેની તેનામાં લાયકાત નથી કે રાજ્ય કરવાની તેનામાં આવડત નથી. આપે તેને પાંચ લાખ આપવાના કહ્યા તે એટલા પૈસા આપવાથી પણ કોઈ સારું કામ ન થાત. એ પૈસાને ગમે તેમ ઉડાવી દેત અથવા એ પૈસામાંથી બીજી નવી જાળ લાવીને વધુ માછલાને પકડત. આપણે તે એને એવું આપવું કે જેથી એ પાપને બંધ બંધ કરે અને તેની આજીવિકા સારી રીતે ચાલે. આપે તેને સો ગાયો આપી. હવે તે તેના કામકાજમાં રહેશે. હવે તે માછલી પકડવા નહિ જાય. સંતે માછીમારને નિયમ આપ્યો કે હવે તારે જિંદગીમાં માછલી પકડવાના નહિ. તેના કુળમાંથી હવે માછલા પકડવાનો ધંધા બંધ થઈ ગયે. માંસાહાર બંધ થઈ ગયો. કેટલા કર્મ બંધમાંથી એ અટકશે ! તમે રાજ્ય આપ્યું હોત કે પૈસા આપ્યા હોત તો આ ધંધે બંધ ન થાત, માટે દાન કરીએ ત્યારે ખૂબ ઉપગ રાખવાને. તમારા પૈસાથી એ જીવે વધુ પકડત તે તમે પણ પાપના ભાગીદાર થાત. હવે મને સાચું સમજાણું રે સંતોની વાણીથી, કમ ભમાવે મને ભવભવમાં.. ગુરૂદેવ ! આપના ઉપદેશથી આજે મને સાચું સમજાયું છે. સંતે માછીમારને કહ્યું–તારા પુણ્યને સિતારો હવે ચમકી રહ્યો છે. તારા મહાન ભાગ્યોદયે તને ગાયની સેવા કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. આ ગાયની સેવા કરજે. તેને બરાબર સાચવજે. આ ગાયો તને તથા તારા કુટુંબને દૂધ આપશે. તેનાથી તારી આજીવિકા ચલાવજે. રાજાએ માછીમારને ૧૦૦ ગાય આપીને વિદાય કર્યો. રાજાના જીવનનો પણું પલ્ટો થયે. તેને સંતના ઉપદેશથી સમજાયું કે પૈસા અને રાજ્ય આપ્યા કરતા સારું અને સાત્વિક કામ આપી નીતિ અને પ્રમાણિક્તાથી તે જીવન ચલાવે એ જ છે. સત્સંગ શું નથી કરતા? પારસમણી લેઢાની તલવારને સેનાની બનાવે પણ એને સ્વભાવ (કાપવાન) બદલી શકતો નથી. જ્યારે સત્સંગ તે માનવીને સ્વભાવ, અરે આખું જીવન બદલી નાખે છે. સત્સંગથી પાપી પુનિત બની ગયા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy