SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] [ શારદા શિરોમણિ આધ આપે છે? હું આત્મા ! તુ ગમે તેટલી મહેનત કર, પુરૂષાર્થ કર, પણ તારા એ ખાડા પૂરાવાના નથી. જ્યારે નદીમાં ભયંકર ઘેાડાપુર આવે છે ત્યારે ભયકર હેાનારત સર્જે છે. એ પૂર તેા ત્રણ દિવસ રહે છે, પણ એ ત્રણ દિવસમાં સજેલી હેાનારત વર્ષોં સુધી ભૂલાતી નથી. માનવી ઘરબાર વિનાના થઈ જાય છે, અને દુ:ખી દુ:ખી થઈ જાય છે. નદીની આ ભૂલ માનવી વર્ષાં સુધી ભૂલી શકતા નથી. આ ન્યાયથી આપણે એ સમજવું છે કે આત્મામાં તૃષ્ણાની, આસક્તિની હેાનારત આવે છે. નદીમાં જ્યારે પૂર આવે ત્યારે પાણી નદીની સપાટી છેાડીને આગળ વધે તેા હેનારત થાય છે. તેની એ ભૂલ ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ જાય છે. આ જ રીતે જ્યારે આત્મામાં કષાયાની હેનારત આવે છે, કષાયેામાં પણ અન'તાનુબંધી કષાયની હેાનારત થાય છે ત્યારે જીવાત્માની વર્ષાની સાધના સાફ થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લાભ હોય ત્યાં સુધી જીવ સમક્તિ પામી શકતા નથી. હજુ` આપશુ. તે કયાંય સ્થાન કે ઠેકાણું દેખાતું નથી. કોઈ માનવી એક ગામથી બીજે ગામ ધધા કે નોકરી માટે જાય તેા તેને રહેવા કાઈ સ્થાન તા જોઈએ ને ? ભાડાનુ ધર લેવાની તેનામાં શક્તિ નથી અને ઘર વગર છૂટકો નથી તેા તેવે માનવી શું કરે ? સેનેટરીઓમાં ફર્યાં કરે. સેનેટરીઆમાં બે ત્રણ મહિનાના જેટલા કાયદા હેાય એટલે સમય રહે પછી તેને બદલવી પડે; પછી બીજી સેનેટરીમાં જાય. કોઈ એ એને પૂછયુ'-ભાઈ ! તારું ઠેકાણુ પડયુ ? તેા કહેશે ના. સેનેટરીના કાયદા પ્રમાણે રહુ. છું, પછી ખાલી કરવી પડે. હવે હુ' તમને પૂછું છું કે તમારી સેનેટરી કેટલા સમયની ? પેલી સેનેટરી તેા બે ત્રણ મહિના સુધી છેડવી નહિ પડે એવું નક્કી છે પણ આ કાયારૂપી સેનેટરી ત્રણ મહિના સુધી તે નહિ છેડવી પડે એવુ નક્કી છે ખરું? એવી પૂરી ખાત્રી છે? અરે, એક ઘડીની પણ ખાત્રી નથી. છતાં આ સેનેટરી માટે, એને સારી ભભકાદાર બનાવવા જીવ ૧૮ પાપનુ' સેવન કરે છે. અધમ કરે છે ને નવા કર્માનુ અધન કરે છે, માટે સતા કહે છે કે આ તક મળી છે. તેા આળખી લે, ત્યારે અજ્ઞાની, સ`સાર સુખ પિપાસુ જીવડા ખાલે છે હજુ વાર છે ઘડપણમાં કરશું, પણ જ્ઞાની કહે છે કે ધડપણ આવશે કે નહિ તેની કાળ રાહ નહિ જુએ, માટે સમયને ઓળખીને સાધના કરી લે. જ્ઞાની ગુરૂ ભગવંતા પડકાર કરીને જીવાને જગાડે છે છતાં હજુ જાગૃત બનતા નથી કારણ કે આત્માને હજુ રસ જાગ્યા નથી. કોઈ પણ કાર્ય કઠીન હાય કે સરળ હાય પણ કાર્ય કરવામાં રસ હાવા જોઈ એ. જો કાયમાં રસ હોય તેા કઠીન કા પશુ સંડેલું બની જાય છે. દિવાળી આવે ત્યારે એના ઘર સ્વચ્છ કરવા માટે કેટલે પુરૂષાર્થ શ્રમ કરે છે છતાં તેને થાક લાગતા નથી, કારણ કે તેમાં તેમને રસ છે. તમારે કમાવાની સિઝન તેા ધંધા કરતાં કેટલી વાર ઉડ–પ્રેસ કરો છે છતાં થાક લાગે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy