SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દેશન પહે કેટલાક તાંદળજો ચીમળાઇ ગયેલા ને કેટલેાક કેાવાઈ ને ગંધાઈ ગયા હતા. એના હાજા ગગડી ગયા. શેઠને ઘેર આવીને પોક મૂકીને રડવા લાગ્યા. શેઠે પૂછ્યું, ભાઈ! શુ થયુ? કેમ રડે છે ? હામે કહ્યું. ખાપુ! હું તે મરી ગયા. કેમ શું થયું ? તે કહે છે મેં તે તમારે ત્યાં પરદેશથી પત્ર આવ્યેા હતેા તે સાંભળીને તાંદળજો ખરીદ કર્ચી ને અહારગામથી કંઈ માંગ તેા આવી નહિ. હું તેા રાહ જોતા હતા. હવે બધા તાંદળજો ગંધાઈ ને કહેાવાઈ ગયા. હવે હું શું કરૂ ? મેં તેા ઘરનુ બધું વેચીને રૂા. ૫૦૦, ભેગા કર્યા હતા. હવે હું શું કરીશ ? ઘરમાં ખાજરી પણ નથી. “દયાળુ શેડ તરફથી દિલાસા” શેઠે કહ્યું, ભાઈ! શાંતિ રાખ, ક'ઈ વાંધા નહિ. એ તેા વહેપાર છે. તને વહેપાર કરવાના બહુ કાડ હતા. વહેપારમાં તે પૈસા કમાવાય ખરા ને કોઈ વાર ગુમાવાય પણ ખરા. ત્યારે હજામે કહ્યું- બાપુ! મારૂ કંઈ ગજું છે ! શેઠે કહ્યું ભાઈ ! મેં તે તને પહેલેથી કહ્યું હતું કે વહેપાર કરવામાં તારું ગજુ નહિ. પણ તારી હાંશ હતી તે પુરી થઇ. તે શેઠ ખૂબ સજ્જન હતા. તેમણે જોયું કે આ તદ્ન ગરીબ માણસ છે ને એનુ બધું સાફ થઈ ગયું છે. તે. મારે એને ગુમાવી છે તેટલી રકમ આપવી પશુ હમણાં નહિ. થાડા દિવસ કષ્ટ વેઠવા દો. પછી આપું તે આવું સાહસ કરતા ભૂલી જાય. એના નામ ઉપર ૫૦૦, રૂ. ની મુડી જમા કરી દીધી. અને એને હિંમત આપતાં કહ્યું કે ભાઇ ! ચિંતા કરવી નકામી છે. હવે શાંતિથી જે કામ કરે છે તે કમાઈને ગુજરાન ચલાવ. ત્યારે કહે છે શેઠ ! આ ઘર પડું' પડુ થઇ રહ્યું છે તે પડે તેા રીપેર કરવા કાની પાસે હાથ ધરવા જાઉં ? ને ખાઉં શું ? શેઠે તેને હિતશિખામણ આપીને કહ્યું જોજે હવે ફરીને આવું કામ ન કરતા. એમ કહી શેઠે હજામને ૫૦૦, રૂ. આપ્યા ને હજામ સુધરી ગયા. એલે, તમારે શુ' કરવું છે ? સંતા તમને સંસારને રાગ છેડવા માટે વીતરાગ વાણી સભળાવે છે. માટે સમજીને ભવભીરૂ અનેા. ભવ્ય જીવાને ભવના અંત કરાવવા તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યા છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : કર્મો કાઇને છેડતા નથી. સુકુમાલિકા પૂર્વભવમાં કની કમાણી કરીને આવી છે. ઘણું ક ખપી ગયુ. હવે અલ્પ ક રહ્યું છે તે કેવા ખેલ કરાવે છે! શ્રેષ્ઠી પુત્ર સાગર અને તજીને ચાહ્યા ગયા. સુકુમાલિકા ખૂબ કલ્પાંત કરવા લાગી એટલે એના પિતાએ તેને સમજાવી. બેટા ! હવે શાંતિ રાખ. તારા પાપ કર્મના ઉદય છે. પણ એનું મન કઇ રીતે શાંત થતુ નથી. હવે એને સારા ઘરના છેક તે પરણે નહિ અને એને સંસારનુ' સુખ જોઈ એ છે. હવે કરવુ શુ ? એમ ચિતામાં મગ્ન રહેતા હતાં. ત્યાં શું બન્યું તે સાંભળે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy