SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શારદા દર્શન હજામના મનમાં વિચાર થતા કે આવા વહેપાર કરવા સારા. મહેનત મજૂરી કરવી ન પડે ને પૈસાના ઢગલા થાય. એ વારવાર શેઠને કહેતા કે શેઠજી! મને તમારા જેવા વહેપાર કરાવા ને! ત્યારે શેઠે કહ્યું – ભાઈ ! વહેપારમાં તારું કામ નહિ. તું જે કરે છે એમાં સુખી છે. મારા જેવા વહેપાર કરવા જતાં હેરાન થઈ જઈશ. પણ પેલેા હજામ માનતા નથી. રાજ શેઠનું માથું ખાઈ જવા લાગ્યા. શેઠ એનાથી કટાળી ગયા. “શેઠના વાદ કરતાં સમૂળગી મૂડી ગુમાવી” ઃ હજામને સમજાવવા માટે શેઠે એક કિમિચેા રચ્યા. એક બનાવટી કાગળ લખીને મુનિમને આપ્યા. હજામ શેઠને માલીશ કરતા હતા ત્યારે મુનિમજી પત્ર લઇને આવ્યે ને કહ્યું. શેઠજી! પરદેશથી પત્ર આન્ગેા છે ને તેમાં લખ્યું કે શેઠજીને માલમ થાય કે આ વર્ષે અહી તાંદળીયાની ભાજીના પાક બહુ ઓછો છે ને અહી એને વપરાશ વધારે છે. એટલે એની ખપત વધારે થશે ને ભાવ સારા ઉપજશે, માટે ત્યાં જેટલી તાંદળીયાની ભાજી મળે તેટલી ખરી કરી લેવા જેવી છે. હજામે પત્ર સાંભળ્યેા ને શેઠે પણ મુનિને કહ્યું કે તમે ધ્યાન રાખજો, ને ગામમાં મળે તેટલી ભાજી ખરીદી લેજો. આ સાંભળીને હજામના મનમાં થયું કે આવા વહેપાર તો હું કરી શકું. શેઠને હું દરરાજ કહું છુ કે મને ધંધા કરાવા પણ કંઇ કરાવતા નથી, એ ન કરાવે તેા કંઇ નહિ. હું મારી જાતે કરીશ. શું મને આવડત નથી ? હજામભાઇ તે શેઠના ઘેરથી નીકળી સીધા ઘેર ગયા. ઘરમાં જે કંઇ હતું તે વેચીને રૂ. ૫૦૦) ભેગા કર્યાં, અને સવાર પડતાં વહેલે બકાલાવાળાની બધી દુકાનેામાંથી તાંદળીયાની ભાજી ખરીદી લીધી. આસપાસના ગામડામાં જઇને ભાજી ખરીદી લાવ્યે... એના મનમાં એમ શેઠનેા મુનિમ ભાજી ખરીદી લેતા હું રહી જાઉં ને! એ મેટા માણસા મેાડા નીકળે. પણ હું કાં કમ છું. વહેલા ખરીદી કરી લઉ. એમ હરખાતાં હજામે વહેપાર કરવાના હરખમાં ને હરખમાં ભાજીથી પેાતાના મકાનના આખા આરડા ભરી દીધા. હવે હજામભાઇ બજારમાં ને શેઠને ઘેર આંટા મારવા લાગ્યું. ને રાહ જોવા લાગ્યે કે હવે બહારગામથી ભાજીની માંગ આવે ને હું માંધા ભાવે ભાજી વેચીને ધન કમાં પણ અહી તે બે, ત્રણ ચાર દિવસ વીત્યા પણ ભાજીની માંગણીના કોઇ સમાચાર આવતા નથી. પાંચમે દિવસે એક કાગળ આવ્યે. હજામ માલીશ કરતા હતા તે વખતે મુનિમજી પત્ર લઇને આવ્યા ને શેઠ સમક્ષ વાંચી સભળાવ્યેા. તેમાં લખ્યું હતું કે શેઠ સાહેબને માલમ થાય કે અમારે ત્યાં બહારગામથી તાંદળજો ઘણા આવી ગયા છે એટલે અહી થી માંગણી થવાની નથી. આ સમાચાર સાંભળીને હજામભાઈના મેાતીયા મરી ગયા. હાય.... હવે શુ થશે ? છતાં મનમાં હિંમત કરીને વિચાર કર્યો કે કંઈ નહિ. બહારગામ લઈ જઈને વેચી નાખીશ. બિચારા આશામાં ને આશામાં ઘેર ગયા. એરડા ખાલીને જુએ છે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy