SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાને દીપ : ૧૧૭ આશાસ્પદ અને યશસ્વી ધર્મના મર્મનું સંશોધન કરનારું અને શ્રેયસ-નિશ્રેયસના માર્ગને સ્વચ્છ અને સ્પષ્ટ કરનારું નીવડશે જેના ભાવે અવસરે શ્રદ્ધાનો દીપ શાસ્ત્રકારોએ ઠેક ઠેકાણે સમ્યગ્દર્શન અથવા શ્રદ્ધાને ભારે મહિમા બતાવ્યું છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે. દર્શનના અભાવે જ્ઞાનને સમીચીન સ્થાન ઉપલબ્ધ થતું નથી. એમ તે નિગોદમાં પણ જ્ઞાનની માત્રા હોય છે. કારણ જ્ઞાન જીવનું સ્વરૂપ જ છે. પm વટા ” આચારાંગ સૂત્રમાં પણ આત્માના સ્વરૂપનું વર્ણન કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે– માયા સે વિજ્ઞાને ને વિજ્ઞાળે તે માયા–જે જ્ઞાન છે તે જ આત્મા છે, જે આત્મા છે તે જ જ્ઞાન છે. આત્મા અને જ્ઞાન ભિન્ન વસ્તુ નથી. પરંતુ એક જ વસ્તુની બે બાજુ છે. દિગંબર જૈનાચાર્યશ્રી અમૃતચંદ્રસૂરિ પણ આ જ વસ્તુને અનુદન કરતાં કહે છે, “મરિમજ્ઞાનં રાચંજ્ઞા જ્ઞાનાન્યતૂ તિ વિમ્ – આત્મ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જાતે જ જ્ઞાન છે. જ્ઞાનથી ભિન્ન બીજું કંઈ આત્મા કરતું નથી. મનુષ્ય સ્વભાવતઃ પિતાની જ્ઞાનેન્દ્રિયેથી વસ્તુનું જ્ઞાન મેળવે છે. જેમ કે કાનથી શબ્દો સાંભળે છે, આંખથી સારા નરસા રૂપને જુએ છે. જીભથી વસ્તુના ખારા, ખાટા, મીઠા સ્વાદની અનુભૂતિ કરે છે. નાકથી સુગંધ અથવા દુર્ગધનું જ્ઞાન કરે છે અને સ્પર્શેન્દ્રિયથી રૂક્ષ, સ્નિગ્ધાદિ સ્પર્શની ઓળખાણ કરે છે. શબ્દોને સાંભળવા, રૂપને જેવું, સ્વાદનું આસ્વાદન કરવું, સુરભિદુરભિ ગંધને ઓળખવી અને કમળ, કઠોર, શીતષ્ણ, આદિ સ્પર્શેની અનુભૂતિ કરવી–એ આખર વસ્તુ શી છે ? કાનથી શબ્દોનું શ્રવણ કરવું એટલે શબ્દ વિષયક જ્ઞાન કરવું અને આંખથી રૂપને જોવું એટલે વસ્તુના રૂપના વિષયમાં જાણવું. તે સિવાયનું સાંભળવું કે જેવું બીજું કંઈ જ હોતું નથી. સાંભળેલા શબ્દો કમશઃ ગતિશીલ થતાં આખા લેકમાં વિસ્તરી જાય છે, બીજા દ્રવ્યોથી સંમિશ્રિત થઈ જાય છે અને ક્રમશઃ વિલય પણ પામી જાય છે. આંખથી જેએલાં રૂપમાં પણ ક્રમશઃ પરિવર્તન, પરિવર્ધન થતાં એક રૂપ બીજા રૂપમાં રૂપાંતરિત થઈ જાય, વિકૃત બની જાય અને વિનાશ પણ પામી જાય, છતાં તેના વિષેનાં જે જ્ઞાને છે તે સદા ટકી રહે છે. જગત સ્થાવર જંગમ પદાર્થોની જોડ છે. તે જડ અને ચેતન પદાર્થોને જાણવા કે જોવાનું કામ આત્માનું છે. જે પદાર્થ જે સ્વરૂપમાં અવસ્થિત છે તે પદાર્થને તે સ્વરૂપમાં યથાર્થ રીતે જાણી લેવું એ જે જ્ઞાનનું કામ છે. પદાર્થોમાં કઈ પણ જાતના પરિવર્તને અને પરિવર્ધને લાવવાં કે કરાવવાં તે જ્ઞાનનું કામ નથી. જેમ એક દીપક હેય તેને એક ઓરડામાં મૂકવામાં આવે તે, સ્વભાવથી પ્રકાશ સ્વભાવ વાળે તે દીપક, પિતાની તિ ઓરડામાં ચારેકોર પાથરતે રહેશે. તે પ્રકાશને કઈ ગમે તે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy