SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ...સાઁવર...! • એટલે શું? ‘શરણુ ’ ૧૪૫ શરણુ શબ્દ, આશ્રય-આધાર-આલેખન-ટેકા વગેરે એક જ અર્થને કહે છે. શ્રી પ`ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ તેમનાં સ્મરણથી, આશ્રયથી, આધારથી, આલંબનથી, ટેકાથી લેવાય છે. શ્રી ૫'ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ તે ધર્મનું જ શરણ છે. ધમ એ પરોપકાર સ્વરૂપ, અને પરપીડાના પરિહારરૂપ છે, તેથી ધર્મનું શરણુ સ્વીકારનારે તત્ત્વથી પરાપકારનું જ શરણુ સ્વીકાર્યું છે. પરોપકાર એ જ આ જગતમાં તરવાના ઉપાય છે. એનું જ શરણુ લેવા લાયક છે, એ જ જીવનમાં આદરવા લાયક છે સાચા ઉપકાર મેાક્ષમાને પામવા અને પમાડવા એ છે. મેાક્ષમાર્ગ રત્નત્રયસ્વરૂપ છે. રત્નત્રય-જ્ઞાન-દ ન-ચારિત્રરૂપ છે. જ્ઞાન-ઇન-ચારિત્ર-એ આત્માના મૂળ ગુણુ છે. સજીવાને સમાન રૂપે જાણવા, જોવા અને એવા વર્તનથી જ્ઞાનગુણ, દેશ નગુણ અને ચારિત્રગુણની ચરિતાર્થતા થાય છે. એ ત્રણ ગુણુની આરાધના જીવને કેવળજ્ઞાન, કેવળદન અને પૂણુ ચારિત્ર તથા અવ્યાબાધ સુખ આપે છે. મુક્તિના સાચા ઉપાય परोपकारः पुण्याय पापाय परपीडनम् । પરને ઉપકાર, પુણ્ય માટે થાય છે. પુરને પીડા, પાપ માટે થાય છે. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ મળે છે. તેથી સુખના અર્થીએ પાપકાર કરવા જોઇએ અને પરપીડાને પરિહરવી જોઈએ. પરપીડાના પરિહાર એ જો પાપથી મુક્ત થવાના ઉપાય હાય, તેા પુણ્યને ઉપાય પરને ઉપકાર કરવા તે જ હોઈ શકે. ઉપકાર પણ ન કરવા, અને પીડા પણ ન કરવી, એવી ત્રીજી અવસ્થા સ`ભવી શકતી નથી. કાં તા પરને પીડા અને કાં ત પરને ઉપકાર. એ એ જ અવસ્થા હોય! તે સુખનુ મૂળ જે ધર્મ તે પરોપકાર સ્વરૂપ બન્યા. સુકૃત અનુમાનામાં ધર્મનું અનુમાદન છે. ધર્મ એ સુકૃત છે અને સુકૃત એ પાપકારનુ બીજુ નામ છે. દુષ્કૃતની ગર્હ એ પાપની ગર્હ છે. પર પીડા એ પાપ છે. અને પાપ એ દુઃખનું મૂળ છે. તેથી પરપીડાની ગાઁ, અને પાપકારનુ અનુમાદન કરવા પૂર્વક શ્રી પ`ચપરમેષ્ટિ ભગવંતાનું શરણુ લેવુ'. તેમના સ્મરણુમાં ધ્યાનલીન થવું તે જ મુક્તિના ઉપાય છે. ૧૯
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy