SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શારા યુવાસ: ત્યારે કન્યાઓ એમના માતા પિતાને કહે છે કે હે માતાપિતા તમે ચિંતા ન કરે અમારી જેની સાથે સગાઈ થઈ તેમને અમે વરી ચૂકયા છીએ અમે જંબુકુમારને સ્વામી તરીકે સ્વીકારી લીધા છે. માટે હવે એ જેમ કરશે તેમ અમે કરીશું. એમને જે માર્ગ તે અમારે માર્ગઆ ભવમાં અમારે બીજો પતિ ન જોઈએ. અમે એમની સાથે જ પરણીશું. બુકમારની આકરી કસેટી – જંબુકુમારના માતાપિતા પણ વિચાર કરવા લાગ્યા કે ભલે ને દીકરે દીક્ષા લેવાનું કહે પણ આ આઠ આઠ રંભા જેવી કન્યાઓના મેહમાં પડી જશે પછી દીક્ષાનું નામ નહિ લે. આઠ આઠ કન્યાઓ સાથે જંબુકુમારના ઠાઠમાઠથી લગ્ન થયા, કન્યાઓ કરડેને દાયજો લઈને આવી છે. તે સમયે પ્રભવ નામને પ્રસિદ્ધ એર હતું. તેણે વિચાર કર્યો કે આજે જે આપણે જંબુકુમારના ઘેર ચોરી કરવા જઈએ તે સફળ થઈએ. જીવનમાં ફરીને ચોરી કરવી ન પડે, એટલે દાયજો કન્યાઓ લાવી છે. આ તરફ આઠ ય નવવધૂઓ જાણે છે કે પતિ સવારે દીક્ષા લેવાના છે. એમણે આપ્ટેએ નક્કી કર્યું છે કે આપણે આઠે જણાએ પતિ સંસારમાં રોકાય તે માટે આપણી સમગ્ર શક્તિને ઉપયોગ કરવાને આઠેય કન્યાઓ જંબુકુમારને ફરતી વીંટળાઈને બેઠી છે. અનેક યુક્તિઓ અને દષ્ટાંતે દ્વારા જંબુકુમારને સંસારમાં રહી ભેગે ભેગવવા સમજાવે છે. તે વખતે પ્રભવ આદિ ૫૦૦ ચોરે તેમની હવેલીમાં દાખલ થયા. જે અમારે પ્રભવ આદિને કરેલા સ્થિર --પ્રભવ પાસે અવસ્થાપિની અને તાલે દુટિની આ બે વિદ્યાઓ હતી. પ્રથમ વિદ્યાને પ્રગ જેના ઉપર કરે તે નિદ્રાધીન બને અને બીજી વિદ્યાના પ્રભાવથી તાળા ખુલી જાય. આ શક્તિધારી ચેર જયાં નિશાન તાકે ત્યાં પાર પડી જાય, એમાં કંઈ નવાઈ નથી. પણ અહીં શું બન્યું તે જોવાનું છે. પ્રભવે પોતાની વિદ્યાને પ્રયોગ કર્યો પણ મહાપુરૂષને વિદ્યાઓ અસર કરી શકતી નથી. જંબુકુમાર સિવાય બધા ઉપર અવસ્થાપિની વિદ્યાએ અસર કરી. બધા નિદ્રાધીન બની ગયા. આથી ચોરે ધન, અંલકારે વિગેરે ચરવા જાય છે ત્યારે જંબુકમારે નીડરતાથી કહ્યું, હું જાણું છું. તમે કે ઈ ચીજને સ્પર્શ નહિ કરી શકે. જંબુ કુમારના પ્રભાવશાળી વચનથી ચારે ત્યાં ને ત્યાં થંભી ગયા. આ સમયે પ્રભવે પિતાની ઓળખાણ આપીને જંબુકુમારને કહ્યું, હે કુમાર ! હું મારી અવસ્થાપિની અને તદ્દઘાટિની વિદ્યા તમને આપું. તેના બદલામાં તમે તમારી ધૃભિની અને મેચિની વિદ્યા મને આપે. એ સમજે છે કે આ મહાપુરૂષે અમને સ્થભિની વિદ્યા થી સ્થિર કરી દીધા છે. જેની પાસે સ્થભિની વિદ્યા હોય તેની પાસે મેચિની વિદ્યા તે અવશ્ય હોય. કારણ કે મારણ વિદ્યાને જાણ્યા વિના કોઈ વિદ્યાને પ્રગ ન કરે. એવી આર્યદેશની નીતિ હતી. પ્રભવ ચેરમાં જાગેલી વૈરાગ્ય ભાવના :-પ્રભવની વાત સાંભળીને જંબુકુમારે કહ્યું, ભાઈ! મારી પાસે કેઈ વિદ્યા નથી અને મારે તારી વિદ્યા જોઇતી નથી. હું તે કાલે સવારે આ સર્વ સામગ્રીને ત્યાગ કરીને સાધુ બની જવાને છું. આ સાંભળીને પ્રભાવ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy