________________
- ૩૬૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા અનાથી મુનિ રાજાને કહે છે કે, હે! રાજન ! મેં મારા દુઃખનું તને જે ઉદાહરણ - આવ્યું તે દુઃખ તે તદ્દન સાધારણ છે. હવે તેને હું મહાન દુઃખનાં દષ્ટાંત આપું છું. એના માટે અનાથી મુનિએ સમસ્ત દુઃખને સંગ્રહરૂપે વૈતરણી નદી અને કૂટશાલ્મલી વૃક્ષનાં અને સમસ્ત સુખના સંગ્રહરૂપે કામધેનુ અને નંદનવનનાં ઉદાહરણે આપ્યાં છે.
આજકાલ કઈ એમ કહે છે કે, દુઃખનું કારણ ધર્મ છે. કોઈ કહે છે કે, દુ:ખનું કારણ અહિંસા છે. કારણ કે અહિંસાને કારણે કાયરતા આવી છે અને કાયરતા એ દુઃખરૂપ છે. કઈ એમ કહે છે કે, ભગવાન જ દુઃખ આપે છે. આ પ્રમાણે લેકે દુઃખ વિષે ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરે છે. આ જ પ્રમાણે સુખને માટે એમ કહેવામાં આવે છે કે, અમને માતાપિતા, ભાઈ-બહેન-પત્નિ વગેરે સુખ આપે છે. કેઈ કહે છે કે, ખાવા-પીવામાં અને મોજમજા માણવામાં જ સુખ છે. કેઈ કહે છે કે, ધનસંગ્રહ કરવામાં અને તેનો ઉપભોગ કરવામાં જ સુખ છે. આ પ્રમાણે સુખ અને દુઃખ આપનાર વિષે ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પનાઓ કરવામાં આવે છે. પણ આ પ્રમાણે સુખ કે દુઃખ આપનાર તરીકે બીજાને માનવામાં આવે છે. ત્યાં સુધી આત્મા અનાથ જ છે.
કદાચ કોઈ કહે કે એમને સુખ–દુઃખના કારણભૂત ન માને. પણ એટલું તો માનવું પડશે કે, પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે અને પાપની પ્રકૃતિ દુઃખ આપે છે. ૮૨ પ્રકારની - પાપની પ્રકૃતિ દુખ આપે છે અને કર પ્રકારની પુણ્યની પ્રકૃતિ સુખ આપે છે. નવ પ્રકારના છે પુણથી સુખ થાય છે અને ૧૮ પ્રકારના પાપથી દુઃખ થાય છે. પુણ્યથી જ ઈષ્ટ ગંધ, ઈષ્ટ રૂ૫ આદિ મળે છે અને પાપથી જ અનિષ્ટ શબ્દ તથા અનિષ્ટ રૂપ વગેરે મળે છે. આ પ્રમાણે પુણ્ય અને પાપને તે સુખ અને દુઃખનાં કારણભૂત માનવાં જ પડશે. પણ એને માટે એમ વિચારે કે પુણ્ય કે પાપની પ્રકૃતિ જડ છે કે ચૈતન્ય ? જે જડ છે, તે જડને ચૈતન્ય માટે સુખ-દુઃખ દેનાર માનવું એ તે અનાથતા જ છે. માટે અનાથતામાંથી નીકળવા માટે એમ માને છે, આત્મા જ સુખ-દુઃખને દેનાર છે. સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર અને નાશ કરનાર પણ આ આત્મા જ છે. આ જ પ્રમાણે આ આત્મા જ મિત્ર છે અને આ આત્મા જ શત્રુ પણ છે. સારી કે ખરાબ સ્થિતિને પ્રાપ્ત કરનાર પણ આ આત્મા જ છે.
અનાથ મુનિ કહે છે કે, “હે! રાજન! આ આત્મા જ વૈતરણી નદી છે, અને આ આત્મા જ કૂટશામલી વૃક્ષ છે. આ જ પ્રમાણે આ આત્મા જ કામધેનું છે અને આ આત્મા જ નંદનવન સમાન છે. આત્મા જ કર્તા છે. આત્મા જ વિકર્તા છે, આત્મા જ મિત્ર - છે અને આત્મા જ શત્રુ છે.”
અનાથી મુનિએ જે ઉપદેશ આપે તે ઉપદેશનું આ મૂળ છે. આ ઉપદેશને વિસ્તાર તે યથાસમયે કરવામાં આવશે. અત્યારે તે એટલું જ કહેવાનું છે કે, આ ઉપદેશને સમજી તમે પણ અનાથતાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તે તમે પણ અનાથી મુનિની માફક તમારા પિતાના તથા બીજાના નાથ બની શકશે. હવે સુદર્શન પિતાની અનાથતા કેવી રીતે દૂર કરે છે તે જુઓ.