SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦ શારદા સરિતા મૂકીને ચાલ્યા જઇશ ! એની પત્નીએ સામે ઉભી છે. તે દરેકની આંખમાં આંસુ છે. જમાલિકુમારના વાળ હુંસ જેવા શ્વેત વસ્ત્રમાં પેાતાના ખેાળામાં ઝીલીને સુગંધીદાર પાણી વડે ધેાઇ નાંખ્યા. ધાઈને ઉત્તમ-પ્રધાન, ગંધ-માલા વડે પૂજે છે. પૂજીને શુધ્ધ કિ ંમતી વજ્ર વડે ખાંધે છે, ખાંધીને રત્નના કરંડીયામાં મૂકે છે. ત્યાર પછી તે જમાલિકુમારની માતા હાર, પાણીની ધારા, સિદ્ગુવારના પુષ્પા અને તૂટી ગયેલી મેાતીની માળા જેવા પુત્રના વિયે!ગથી દુઃસહ આંસુ સારતી આ પ્રમાણે ખેલી કે આ કેશે। અમારા માટે ઘણી તિથિએ, પણીઓ, ઉત્સવેા, યજ્ઞા અને મહેાત્સવેામાં જમાલિકુમારના વારંવાર દઈન રૂપ થશે. એમ ધારીને તેને સાચવીને મૂકે છે. આ રીતે જમાલિકુમારના વાળ વડા કરવાની વિધિ પૂરી થઇ. હવે શુ વિધિ કરશે તે વાત અવસરે કહેવાશે. ✩ વ્યાખ્યાન ન, ૮૬ આસા સુદ ૧૦ ને શનિવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેન ! જમાલિકુમાર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સંસાર છોડી સંયમી બને છે. એમને એક વાત સમજાઇ ગઇ કે જે સુખ ભેાગવ્યા પછી તેની પાછળ દુઃખ ઉભેલ હાય તે તે સાચું સુખ નથી. પલ્યાપમ અને સાગરોપમના કાળ સુધી સુખ લેગન્યા પછી પણ જો દુઃખ ભાગવવાના વખત આવે તેા જ્ઞાની પુરૂષ તેને વાસ્તવિક સુખ માનતા નથી. આજે આત્મસ્વરૂપની પિછાણના અભાવે મનુષ્યા એક નજીવા મબિંદુની ઉપમાવાળા ક્ષણિક સુખમાં આસકત બની જાય છે અને પરિણામે તેને નરક અને નિગેાદમાં ધાર દુઃખા ભાગવવા પડે છે. તા. ૬-૧૦-૭૩ સ'સારના કોઈ ઇન્દ્રિયજન્ય સુખા એવા નથી કે જે પરિણામે સુખરૂપ હોય. અતિન્દ્રિય એવું આત્મિક સુખ પરિણામે સુખરૂપ છે. વિષયજન્ય સુખ તે શરૂઆત પૂરતુ મધુર છે ને પરિણામે અતિ દુઃખકર છે. તમે પરિણામને વિચાર કરો તે વિષયસુખમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયા વિના રહેશે નહિ. પાંચેય ઇન્દ્રિએના વિષયા જો કે સેવન કરવાના સમયે શરૂઆતમાં ક્ષણુ પૂરતા તમારી માન્યતા પ્રમાણે આનંદ આપનારા છે. પણ પાછળથી કિપાકવૃક્ષના ફળના ભક્ષણની જેમ અતિ દુઃખદાયક નીવડે છે. કપાક વૃક્ષના ફળ દેખાવમાં અતિ સુંદર હેાય છે. ખાવામાં સ્વાદિષ્ટ હાય છે. સુગંધયુકત પણ હાય છે. પણ એને ખાધા પછી માત્ર એ ઘડીમાં ખાનારના પ્રાણ ઉડી જાય છે. તેમ ઈન્દ્રિયજન્ય વિષચે પણ શરૂઆતમાં અતિ સુંદર હોય છે. જગત આખું તેમાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy