SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૩ શારદા સરિતા પછી આ કપડા પહેરાવજો.' ભૂલતા નહિ. પુત્ર કહે છે ભલે પિતાજી. શજા વિચાર કરે છે કે આ બધા માશ માઢે હા.... હા.... તેા કરે છે. પણ પછી મને એ પહેરાવશે કે નહિ ? લાવને પરીક્ષા કરી જોઉં. રાજાને તાળવે પ્રાણ ચઢાવવાને પ્રયાગ આવતા હતા. એટલે એણે તાળવે પ્રાણુ ચઢાવી દીધા. શરીર તેા લાકડા જેવું થઈ ગયું. રાજા હાલતા-ચાલતા નથી, ખેલતા નથી. આ જોઇને કુંવર, પ્રધાન, રાણીએ બધા દોડી આવ્યા, રાજ્યમાં રાકકળ મચી ગઇ, વૈદ્યા અને ડાકટરોને ખેલાવ્યા. ખૂબ ઇલાજો કર્યા. બધા નિષ્ફળ ગયા. બધાએ કહ્યું કે રાજા મરણ પામ્યા છે એટલે રાજાને માટે પાલખી તૈયાર કરાવી. રાજાએ પ્રધાન તથા કુંવરને કહ્યું હતું કે હું મરી જાઉં ત્યારે મારા મૃતકલેવરને આ કપડા પહેરાવો, પણ પ્રધાન અને રાજકુમાર વિચાર કરે છે કે રાજા કહી ગયા તે ખરાખર છે. આપણે વચન આપ્યું પણ પાંચ-છ લાખ રૂપિયાની કિંમતના કપડા મડદાને પહેરાવવાથી શું? એ તે બળી જવાના છે ને હવે રાજા ક્યાં જોવા આવવાના છે? આ કપડા નથી પહેરાવવા, ખીજા પહેરાવી દે, એટલે રાજાને ખીજા કપડા પહેરાવી દીધા, પાલખીમાં બેસાડી દેવા જાય છે ત્યાં રાજાએ ધીમે ધીમે શ્વાસેાાસ નીચે ઉતારવા માંડયા એટલે હાથ-પગ હાલવા લાગ્યા તેથી બધાને થયું જુએ તેા ખરા ! જીવ પાછે! આવ્યા લાગે છે. ધીમે ધીમે કરતા રાજાએ આંખ ખાલી એટલે સૈાને આનંદ્ન થયા કે અહા ! આપણા રાજા સજીવન થયા, પ્રધાન–પુત્ર તેમજ પ્રજાને ખૂબ આનંદ થયે, પણ રાજાના મુખ ઉપર જરા પણ આનદં નથી. રાજાને પ્રધાન તેમજ રાજકુમાર પૂછે છે હે મહારાજા! આપ પુનઃજીવન પામ્યા એટલે દરેકના મુખ ઉપર આન છે ને આપના મુખ ઉપર આન કેમ નથી ત્યારે રાજા કહે છે. “મારૂ' કરીને માનેલ જે, મારૂં' જરીયે ના થયું, એથી જ આરૂં. આ હૃદય, સંસારથી ઉઠી ગયું” મને આનંદ કેવી રીતે થાય ? મે` અગાઉથી તમારી પાસે વચન માંગ્યું હતુ ને કે હું મરી જાઉં ત્યારે મને પેલા કિંમતી કપડા પહેરાવો. તે! તમે મને મરી ગયેલા માન્યા, તે તે કપડા કેમ ન પહેરાવ્યા ? હું મરી ગયેા ન હતેા પણ તમારી પરીક્ષા કરવા માટે મેં આ કાર્ય કર્યું હતું. પ્રધાન કહે છે સાહેબ! અમને એમ થયું કે આવા કિંમતી પેાશાક અતે મળીને રાખ થઈ જવાના છે ને! હશે તેા કાઇકવાર કુમાર પહેરશે, અમને માફ કરે. ત્યારે રાજા કહે છે તમે મારાથી જરાય ડરશે નહિ. એમાં તમારા દોષ નથી. પણ હું અત્યાર સુધી માનતા હતા કે પ્રધાન, પુત્ર, રાણી મારી અને રાજ્ય મારૂં એ મારાપણાના માહ ઉઠી ગયા ને આજે મારી આંખ ખુલી ગઇ કે મેં જેને મારૂ' કરીને માન્યું હતું તે મારૂ નથી. આ અસાર સંસાર ઉપરથી માર્
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy