SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શારદા સરિતા જતો રહું. આમ કરતાં બે પાંચ હજાર નહિ પણ દશ હજાર રૂપિયા કમાય. પાસે કંઈ ન હતું તેના બદલે ઘર વસાવ્યું. દશ હજાર રૂપિયા કમાય ત્યારે મનમાં થયું કે હવે આ ગામ છોડી દઉં, પણ અંદર રહેલે લોભ કાઠી કહે છે ના..ના.. દશ હજારના વીસ હજાર થાય પછી જા, એટલે વણિકભાઈ તે રહ્યા પણ ભવિતવ્યતાના જોરથી વિચાર થયે ભલે, પૈસા કમાવવા અહીં રહ્યો પણ મારા આત્મા માટે કંઈક કરું. એટલે દરરોજ રાત્રે સામાયિક કરવી એ નિયમ કર્યો. દિવસે તે ઘરાકી ખૂબ રહે એટલે કંઈ કરી શકે નહિ. રોજ રાત્રે સામાયિક કરીને પછી સૂઈ જતું. આ તરફ એક દિવસ ચેરને નાયક બધા ચોરોને કહે છેઃ આપણે બધે ચેરી કરવા જઈએ છીએ. કઈ વાર પકડાઈ જઈએ તે માર ખાવો પડે, જેલમાં જવું પડે ને કાળી મજૂરી કરવી પડે છે. તે આપણા ગામમાં ઘણા વખતથી આ વાણિયે રહેવા આવ્યો છે. અને આપણું પૈસાથી માલદાર બની ગયેલ છે. તે તેના ઘેર ચેરી કરવા જવાનું તમને કેઈને મન નથી થતું? ત્યારે બધા ચોર કહેઃ ચાલે, અત્યારે ધેળા દિવસે એના ઘેર ધાડ પાડીએ. ત્યારે નાયક કહે છેઃ ના...ના...અત્યારે નહિ, રાત્રે વાત. રાતના દશ વાગ્યા એટલે બધું ટેળું ભેગું થઈને વણિકને ઘેર આવ્યું. વાણિય સામાયિક લઈને બેઠો છે. આ ધીમે ધીમો દી બળે છે. પિતાના ઉપર પ્રકાશ ન આવે એટલે આડું પાટીયું રાખીને બેઠેલો હતે. જે ઉપાદાન શુદ્ધ હોય તે નિમિત્ત કેવું મળે છે! ચાર આવ્યા છે ચોરી કરવા છતાં જીવનમાં પરિવર્તન કેવું આવશે! જીવનું ઉપાદાના જાગે છે અને નિમિત્તા-નૈમિત્તિક સંબંધ ભેગો થાય છે તે આશ્રવના સ્થાનમાં પણ જીવ સંવર કરે છે. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે – “ગાવા તે રિસંવા, જે રિસવા ગાવા ” જાગૃત જીવ માટે જે આશ્રવનું સ્થાન છે તે સંવરનું સ્થાન બની જાય છે. અને અજ્ઞાની છે માટે સંવરનું સ્થાન પણ આશ્રવનું સ્થાન બની જાય છે. ચેરી તે પાપનું કાર્ય છે ને! જંબુસ્વામીને ઘેર પ્રભંવાદિ ૫૦૦ ચોર ચોરી કરવા આવ્યા હતા. ભૌતિક ધન લેવા આવ્યા પણ જંબુસ્વામીના ઉત્કૃષ્ટ વૈરાગ્યના પ્રભાવથી બુઝી ગયા ને ભૌતિક ધનને બદલે આત્મિક ધન લઈ લીધું. ચાર વાણિયાના બારણમાં આવીને કહે છે કે હે શાહુકારના દીકરા ! નીકળ બહાર, અમારા ગામમાં આવી ઘણું કમાય છે. પાસે જે હોય તે આપી દે. નહિતર તને જાનથી મારી નાંખીશું. દેવાનુપ્રિયે! તમે આ જગ્યાએ હોય તે શું કરે! ગભરાઈ જાવને ! બોલો તે ખરા! (સભા – અરે અમે તે ધ્રુજી ઉઠીએ). (હસાહસ). આ વાણિયો ધ્રુજ્યો નહિ. એણે જોયું કે હવે આવી બન્યું. જે થવું હોય તે થાય: એ તે શુદ્ધ ભાવથી નવકાર મંત્ર ગણે છે. શુદ્ધ ભાવે શ્રદ્ધાપૂર્વક નવકાર મંત્રનો જાપ કરવામાં આવે તે કેટલાને નમસ્કાર થાય? નમો અરિહંતાણું કહેતાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy