SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૬૯ ભગવાન ક્ષમાના સાગર એવા મહાવીરે કહ્યું છે કે જેની સાથે વેર બંધાયું હોય તેને તારે ક્ષમા આપવી જોઈએ. પછી ભલે તે તને સન્માન આપતો હોય કે ન આપતું હોય, તેને તેણે ક્ષમા આપી હોય કે ન આપી હય, તું તેના કૃત્ય તરફ નજર કરીશ નહિ. તારે તરત તેની ક્ષમા માગી લેવી જોઈએ. ક્ષમાની વિશેષતા બતાવતાં આધ્યાત્મિક પ્રકરણમાં લખ્યું છે. એક માણસ છાસઠ કરોડ ભાપવાસ કરે છે અને બીજે માણસ એક કડવું વેણ શાંતિથી સહન કરી લે છે તે બીજા માણસને જે ફળ મળે છે તે છાસઠ કરોડ ભાપવાસના ફળ કરતાં ઘણું વધારે હોય છે. ક્ષમાપર્વને મહત્વને સંદેશ એ છે કે જેની સાથે આપણે અણબનાવ થયે હોય કે કજિયે થયે હોય તેની ક્ષમા માગવી. હૃદય પર જામેલા કાળાશના પિપડાને ઉખેડીને હૃદયને સ્વચ્છ અરિસા જેવું બનાવવું. ભૂતકાળનું કઈ પણ કડવું સ્મરણ અંતઃકરણના એકાદ ખૂણામાં ન રહી જવું જોઈએ અને હૃદય નિર્મળ અને પવિત્ર બનવું જોઈએ. બંધુઓ! સંવત્સરી એટલે શું? મોહ-માયા અને મમતાના કચરા કાઢવાને અને કષાયેન કાજળ છેવાને આ પવિત્ર દિવસ છે. જયાં સુધી અનંતાનુબંધી કષાય હશે ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ નહિ થાય અને જ્યાં સુધી સમ્યક વની પ્રાપ્તિ નહિ થાય ત્યાં સુધી ભવટ્ટી થવાની નથી. જ્યાં સુધી અપ્રત્યાખ્યાન કષાય હશે ત્યાં સુધી દેશવિરતિ-શ્રાવકપણું પ્રાપ્ત નહિ થાય. પ્રત્યાખ્યાની ચે કડી હશે ત્યાં સુધી સાધુપણું ઉદયમાં નહિ આવે અને જ્યાં સુધી સંજવલન કષાય હશે ત્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સંજવલન કેધ કે હેય? પાણીની લીટી જે. જેમ પાણીમાં લીંટી દોરે તે કેટલો સમય ટકે છે? તેમ છદ્મસ્થપણાની લહેરમાં કષાય આવી જાય પણ તરત તેની ક્ષમા માંગી લેવી જોઈએ. પાણીની લીટી જે ક્રોધ હેય તે પણ કેવળજ્ઞાન થતાં અટકાવે છે. તે વિચાર કરો જેના જીવનમાં કાળી કાજળ જેવી કષાયે ભરી હોય તેનું કલ્યાણ ક્યારે થશે? તેને ખૂબ વિચાર કરો. કષાયે ઉપર અને ચાર સંજ્ઞાઓ ઉપર વિજય મેળવે. દેવાનું પ્રિય! ચારિત્ર વિના નવા કર્મો આવતા રોકાતા નથી અને તપ વિના જુના કર્મો તૂટતા નથી. દ્રવ્યથી ને ભાવથી ચારિત્રની અવશ્ય જરૂર છે. દ્રવ્યચારિત્રથી વધુમાં વધુ જીવ નવ ગ્રેવેયક સુધી જઈ શકે છે પણ અનુત્તર વિમાનમાં તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે ચારિત્રની આરાધના કરનાર જઈ શકે છે. ભાવચારિત્ર એ મેક્ષનું કારણ છે. પણ દેવાયુષ્યના બંધનું કારણ નથી. ચારિત્રવાન આત્મા કર્મની નિર્જરા કરતા મોક્ષના લક્ષથી આરાધના કરે છે. પણ ચારિત્રની આરાધના કરતાં ક્ષાયિક ભાવવાળું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય તે પહેલા આયુષ્ય પૂર્ણ થવાથી યથાખ્યાત ચારિત્ર હોવાથી પ્રશસ્ત રાગભાવને કારણે દેવનું આયુષ્ય બંધાય છે અને તે વૈમાનિકમાં જાય છે. તેમાં પણ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy