SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૪૫૧ શેરખાં સભામાં આવીને હાજર થયે. એના મુખ ઉપર આનંદ હતે ને પગમાં વેગ હતો ત્યારે ચાંપરાજ હાડે શું બન્યું હશે તેની ચિંતામાં મગ્ન હતું. પણ સોનરાણી પ્રત્યે મેરૂ જે અટલ વિશ્વાસ હતો. બાદશાહે શેરખાં તરફ જોઈને પૂછ્યું-શેરખાં! બેલ તું શું કરી આવ્યો? દષ્ટિ શેરખાં તરફ કેન્દ્રિત થઈ ગઈ. બધાની વચમાં શેરખાંએ કહ્યું સાહેબ! શેરખાં કંઈ જે તે નથી. એની પાસે બીજું શું જવાબ હોય? જીતનાં ડંકા વગાડીને આવ્યો છું. ચાંપરાજ હાડાના મહેલમાં છ છ મહિના રહીને ખૂબ મોજ ઉડાવી છે. સનરાણીની તાકાત છે કે આ શેરખાં સામે ટકી શકે? હું મારું કાર્ય સિદ્ધ કરીને આવ્યો છું અને સાથે યાદગીરી અને નિશાન લાવ્યો છું. જુઓ, ચાંપરાજે એની પત્નીને યાદગીરી તરીકે આપેલ આ રૂમાલ. ચાંપરાજ સામે ગર્વભરેલી દષ્ટિ ફેંકીને બેચે. પિતાને રૂપાલ જોતાં ચાંપરાજ નીચું જોઈ ગયા તેમજ આખી સભા વિસ્મય પામી ગઈ. તે વખતે ચાંપરાજની બાજુમાં તેને અંગત મિત્ર પહાડસિંહ બેઠો હતો. તેને સનરાણીના ચારિત્ર વિષે વિશ્વાસ હતે. તે કદી શીયળને ભંગ કરે નહિ. તેણે કહ્યું-બાદશાહ! રૂમાલ તે ચોરી કરીને પણ લાવી શકાય. ત્યારે શેરખાંઓ હાડાની કટાર બતાવીને કહ્યું-જુઓ, આ કટાર કેની છે? ત્યારે પહાડસિંહે કહ્યું રૂમાલ લાવ્યા તેમ ચેરીને કરાર પણ લાવી શકાય. હવે શેરખાંથી ન રહેવાયું. ભરસભા વચ્ચે મોટા અવાજે બે-હું આપ સૌની સમક્ષમાં ચાંપરાજ હાડાને પૂછું છું કે સનરાણીની જમણી જાંઘ ઉપર લાખાનું ચિન્હ છે કે નહિ? આ સાંભળી ચાંપરાજના હાજા ગગયા. એને મરણનો ડર ન હતું. પણ રાણું આવું કરે તેમ નથી. છતાં આ કેમ બન્યું ? હાડો સત્યવાદી હતા. જે તે સત્યવાદી ન હોત તે કહી દેત કે એ જુઠી બનાવટી વાત છે. પણ હાડે કંઈ ન બે. સનરાણીની જાંધ પર લખ્યું છે તે એના પતિ સિવાય અને તેના સિવાય કેણ જાણી શકે ? વિચારના અનેક મજા આવી ગયા પણ હવે કઈ ઉપાય ન હતો. સભામાં સનસનાટી ફેલાઈ - બાદશાહ કહે છે હાહા! તમે હારી ગયા છે. મસ્તક દેવા તૈયાર થાવ. આ સાંભળી સભાજનેનું હૃદય કકળી ઉઠયું. આ પવિત્ર પુરૂષને આવી સજા થશે? ચાંપરાજ કહે છે બાદશાહ! મને મરણને ડર નથી. ચાંપરાજનું માથું તૈયાર છે. પણ મને ત્રણ દિવસની મુદત આપ. મને મરતાં પહેલાં એક વાર સેનને મળવાની ઈચ્છા છે. તે પૂરી કરી લેવા દે. આ હાડ ત્રીજે દિવસે સાંજે હાજર થઈ જશે. ત્યારે બાદશાહે કહ્યું-ભલે. પણ તમે ન આવે તે તમે ખુશીથી જાવ પણ જામીન આપતા જાવ. જો તમે ત્રીજે દિવસે ન આવે તે જામીનનું માથું ધડથી જુદું કરવામાં આવશે. હાડો વિચાર કરે છે શીર સાટે અહીં મને જામીન કેણુ મળે ? કેને જામીન તરીકે મૂકીને જાઉં.
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy