SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શારદા સરિતા એટલે શું? ધર એટલે પકડવું. શું પકડવું? ભગવાન કહે છે કે જીવ | અનાદ્દિકાળથી તારુ મૂળસ્થાન છોડીને અન્ય સ્થાનમાં ભમી કષાયેાને વશ થઇ ગયા છે. તે અન્ય સ્થાનને છોડી તારા મૂળ સ્થાનને પકડી લે અને સ્વભાવમાં સ્થિર બની જા. સંસારનું મૂળ કષાય છે. રાગ અને દ્વેષ એ કર્મના ખીજ છે. ખેતરમાં ખેડૂત ખીજ આવે છે ત્યારે પાક ઉતરે છે. તેમ આપણા જીવનરૂપી ક્ષેત્રમાં રાગ-દ્વેષરૂપી ખીજનું વાવેતર કરવાથી પાપકર્મરૂપી પાક ઉતરે છે. તેને ભાગવતી વખતે પણ જો સમતા ન રહે તે નવા કમે બંધાવાના અને પરિણામે સંસારનું ચક્ર ફર્યા કરવાનું–પણુ રાગની આગમાં ભાન ભૂલેલા જીવાને ભાન નથી કે તેમાં પડતુ મૂકીશ તેા બળીને ભડથુ થઈ જઈશ. જુએ, પતંગીયુ' પ્રકાશ દેખીને પાગલ અને છે અને એ પ્રકાશમાં તેનુ જીવન ઝ ંપલાવે છે તે! તે મળીને સ્વાહા થઈ જાય છે. પતંગા તે! નહિ સમજે, અગર સમજે તે કહી દેજો, દીપકમાં દાઝવા કરતાં, મઝા છે દૂર રહેવામાં, સમીપ સંતાપ બહુ ઝાઝા, મઝા છે દૂર રહેવામાં 17 જ્ઞાનીઓ કહે છે વિષયેાની વાતા જ્યાં થતી હેાય ત્યાં કદી જશે! નહિ. એકેક ઇન્દ્રિયના વિષયેા કેવા ભયંકર છે! પતંગિયું જ્યારે પ્રકાશમાં પડવા જતુ હાય ત્યારે એને પકડીને કાઇ દૂર મૂકે તે પણ પાછું ઉડીને ત્યાં આવે છે. લક્ષ્મીના માહમાં પાગલ અનેા જીવાની પણ આવી દશા છે. ઉપાશ્રયે આવવાની પુરસદ નથી પણ યાદ રાખજો કે કાળ આવશે ત્યારે શું કરશે ? તમે એમ કહી શકશે! કે મને અત્યારે પુરસદ નથી. સર્જન ડૅાકટરને ખેલાવા ને કહા કે ગમે તેમ કરે પણ મને મચાવેા ત્યારે ડૉકટર શું કહે છે? ભાઈ ! ઉપાયે તેા કરુ છું પણ તૂટી તેની ખુટી નથી. તૂટેલું આયુષ્ય સંધાતું નથી. વૃક્ષ ઉપરથી પાંડુ ખરે પછી વૃક્ષ ઉપર જઈ શકતુ નથી. ફેરીને નવું આવે છે પણ ખરેલું પાછું ઉપર જઇ શકતું નથી. યાદ રાખો તેમ આપણું પાંદડું ક્યારે ખરી પડશે તે ખબર નથી માટે જીવનમાં ધર્મની કમાણી કરી લેા, રાગ-દ્વેષ અને મેહનું પરિણામ પાપ છે. જંગી નાની છે. તેમાં પાપની પ્રવૃત્તિ ઓછી કરી અને વીતર!ગ મનવા વિત્તના રાગ છેડા. જમાલિકુમારને પ્રભુની વાણી સાંભળીને કેવા આનંદ આવ્યે ! જેમ ભૂખ્યાને ભે!જન, તરસ્યાને પાણી, રાગીને ઔષધ ને થાકેલાને વિસામે મળે તે કેવા આન થાય ? તેમ હું નાથ! તારી વાણી સાંભળી મને તેટલા આન થયા છે. મારી ભવભવની ભૂખ ભાંગી ગઇ છે. તારી વાણી સત્ય છે, નિઃ શક છે. તારા સિવાય હવે મને કયાંય ગમતું નથી; પ્રાણ વિનાના કલેવરની કિંમત નથી તેમ હે નાથ! તારા વિનાના જીવનની કંઈ કિંમત નથી. જેના જીવનમાં દેવ-ગુરૂ અને ધર્મ નથી તેનું જીવન
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy