SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ શારદા સરિતા જોઇ. એ ઝૂંપડીમાં માતા બેઠી હતી. ગેપાલ કહે છે બા! આપણું ઘર ક્યાં ગયું ને આ ઝુંપડીમાં કેમ? માતા કહે છે બેટા! કર્મની કઠણાઈ છે. કુદરતે જેવા સંગે આપ્યા તેમાં સમભાવથી રહેવાનું છે. આપણું ઘર વેચાઈ ગયું છે. માતા લોકોના કામ કરીને ઘર નભાવતી હતી. થડા દિવસમાં ગોપાલની પરીક્ષા પૂરી થઈ અને પિતે સારા નંબરે પાસ થયો, એને કૉલેજમાં દાખલ થવાનું હતું પણ માતાની આંખમાં આંસુ સૂકાતા ન હતા. ઘરની પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી એટલે આગળ ભણવાનું માંડી વાળ્યું. પણ હવે માતાનું દુઃખ કેમ મટાડું એ એની ભાવના હતી. એક દિવસ માતાને વળગી પડે ને પગમાં પડી પૂછયું બા ! આપણા ઘરમાં આ બધું શું ચાલી રહ્યું છે? તું દિવસે દિવસે સૂકાતી કેમ જાય છે! બા, પહેલાં તું બધા દાગીના પહેરતી હતી તે હવે કેમ નથી પહેરતી? પહેલાં તું સાડી પહેરતી હતી ને અત્યારે થીગડાવાળે જાડે સાલ્લો કેમ પહેર્યો છે? અને આપણું ઘર કેમ વેચવું પડ્યું? માતા કહેતી નથી. એનું હૈયું ભરાઈ ગયું. બેભાન બની ગઈ. પાલે પવન નાંખી પાણી છાંટી શાંત બનાવી ને ફરીથી પૂછ્યું બા ! તારું દુખ જોઈને મારું કાળજુ ચીરાઈ જાય છે. જલ્દી કહે. છોકરો ખૂબ પૂછે છે ત્યારે કહે છે બેટા! શું વાત કરું? તારા બાપુજી કુસંગે ચઢી સાતે વ્યસને ચઢી ગયા છે. જુગાર રમે છે, દારૂ પીવે છે, પરસ્ત્રીગમન કરે છે. આ બધા વ્યસને પૂરા પાડવા માટે ઘરમાંથી બધું લઈ જાય છે. મારા દાગીના વેચાઈ ગયા, વાસણ વેચાઈ ગયા ને ઘર પણ વેચાઈ ગયું. આ સાંભળી ગોપાલને થયું મારા બાપુજીને હું સમજાવું. એક દિવસ રાત્રે એના બાપુજી ઘેર આવ્યા ત્યારે ગેપાલે એના બાપુજીને કહ્યું બાપુજી! એક વાત કહું તમે સાંભળશે? એને બાપ કહે છે કહેને, હું સાંભળીશ. એટલે તેણે કહ્યું બાપુજી! આપ તો ખૂબ ગંભીર છે, સમજુ છો મારે નાના મઢે આપને શું કહેવાનું હોય? છતાં દુખિત દિલે કહું છું કે આ જુગાર રમવો, દારૂ પીવે આ બધું આપને શેભે? કેમાં પણ આપણી કેવી વાતો થાય છે? આ શબ્દ સાંભળીને એના બાપને કેધ ચઢ અને ગોપાલને ખૂબ મા ને ગાળોનો વરસાદ વરસાવ્યો. બંધુઓ! જ્યારે માણસ વ્યસને ગુલામ બને છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ બની જાય છે. સાચી વાત પણ એને ગમતી નથી. ગેપાલ બે ત્રણ વખત બાપને સમજાવવા ગયો પણ એની એ જ દશા થઈ. સમજવાને બદલે માર પડે. હવે આ યુવાન ગેપાળને ખુબ કે આ. ગમે તેમ કરું પણ મારી માતાને બાપના ત્રાસમાંથી મુક્ત કરું. કે એ કાળી નાગ છે. કાળે ઝેરી નાગ જેને કરડે છે તેના પ્રાણ લે છે. ગોપાળને કે આ પણ એની માતાને વાત કરી હતી તે વધે ન આવત. એણે માતાને કોઈ વાત ન કરી, એને બાપ ઝુંપડીની બહાર એટલે એક ખાટલામાં જ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy