SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૧૨૭ ઘરનાને હું જૈન ધર્મ પમાડું તે હું સાચે શ્રાવક છું. અરે ! સાધુના સંગે પશુઓ સુધરી ગયા. પણ તમે ન સુધર્યા. વાઘ ને સિંહ કદી ઘાસ ન ખાય પણ બલભદ્ર મુનિ જંગલમાં રહેતા હતા તેમના સંયમના પ્રભાવથી વાઘ ને સિંહ જેવા કુર પ્રાણીઓ તેમની પાસે આવીને બેસતા હતા. એમના સંગથી વાઘ ને સિંહે માંસ ખાવાનું છોડી દીધું અને નિર્ણય કર્યો કે હવે આપણે ઘાસ ખાવું. આ વાઘ-સિંહે એમની પ્રણાલીકા છોડી દીધી પણ મારા ભગવાન મહાવીરના શ્રાવકને છાતી તોડીને કહીએ છીએ કે હે દેવાનુ પ્રિયે ! શ્રાવકને માટે રાત્રિ ભોજન કરવું એ માંસ ભક્ષણ કરવા બરાબર છે, પણ હજુ છોડતા નથી. એક ટંક ઓછું ખાશો તો શું પડી જવાના છે ! કદાચ દુકાન વહેલી બંધ થશે તે કમાણી કંઈ બહુ ઓછી નહિ થઈ જાય. રાત્રિ ભોજન કરવું એ મહા પાપ છે. માટે કાયમ રાત્રિ ભોજન બંધ કરો. છેવટે ના બને તો ચાતુર્માસના દિવસોમાં તો અવશ્ય રાત્રિ-જનનો ત્યાગ કર જોઈએ. અમુક ઉંમર થાય એટલે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લેવી જોઈએ. એ જૈન ધર્મની પ્રણાલીકા છે. કેશાએ આગળ શું વિચાર કર્યો કે જે મારે સંગ કરે તે બધાને હું ધમ પમાડું. જેન-ધર્મ પામ્યા પછી એને ઘેર જે પુરૂષો ભેગની ઈચ્છાથી આવતા તે બધાને પ્રતિબોધ પમાડીને વૈરાવી બનાવીને ભગવાન પાસે મેકવતી. ભેગ માટે આવેલાને વેગ લેવાની કળા શીખવાડી ભેગીને યોગી બનાવી દીધા. જ્યારે ધર્મ પામી ન હતી ત્યારે જે કઈ આવે તેને કેમ ભેગી બનાવવા તે આવડત હતી. અને ધર્મ પામ્યા પછી ભેગ માટે આવેલાને કેમ ત્યાગી બનાવવા તે આવડત હતી. આનું નામ ધર્મ પામ્યા કહેવાય. એને ધર્મ એ રૂચી ગયો, એના અંતરમાં ધર્મ એ સ્પશી ગયે કે ભેગના કીડા બનીને જે તેને ઘેર આવતાં તે બધાને ભગવાનના સાધુ બનાવવા લાગી. બંધુઓ! તમે આટલા ઉપાશ્રયે આવે છે પણ ધર્મના સ્વરૂપને યથાર્થ સમજતા નથી. વેશ્યા જેવી વેશ્યા સાચી શ્રાવિકા બની ગઈ અને તમે સાચા શ્રાવક ન બને કેટલી શરમજનક વાત છે! વિષય વિષ જેવા છે એટલે તે જરૂર સમજી લેજે. જે પુરૂષે વિષને જીતે છે તેની દ્રષ્ટિમાં પરસ્ત્રી નાગણ જેવી દેખાય છે અને જે બહેન શીયળવંતી છે તેની દષ્ટિમાં પરપુરૂષ નાગ જેવા દેખાય છે. એ કામ ઉપર વિજય મેળવી શકે છે. જમાલિકુમાર સંસારની મોજમઝા ઉડાવી રહ્યા હતા. પણ ખબર પડી કે ક્ષત્રિયકુંડ નગરમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. ત્યાં બધા રંગરાગ છેડી દીધા. પ્રભુનું નામ સાંભળી એના સાડાત્રણ કોડ રેમરાય ખડા થઈ ગયા, અહો મારા નાથ પધાર્યા છે અને હું અહીં બેઠે છું. હવે મારાથી મહેલમાં કેમ બેસી રહેવાય? મુંબઈ નગરીના શ્રાવકે ભાગ્યવાન છે કે મુંબઈમાં કોઈ મહારાષ્ટ્ર, કઈ ગુજરાત, તો કઈ કાઠીયાવાડથી હાલી ચાલીને સંત પધારે છે અને તમે જે ઘરમાં બેસી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy