SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ શારદા સરિતા માબાપને દેવ સમાન માનનારે ને જ પગ ધોઈને પીનારે દીકરો આવું શા માટે કરે? મારા કર્મો મારા દુશ્મન છે. સમલે ગજસુકુમારના માથામાં અંગારા મૂક્યા તે પણ જરા કે ન આવ્યું. એમણે વિચાર કર્યો કે મારા સસરાએ મને મેક્ષમાં જવાની પાઘડી બંધાવી. મને મોક્ષમાં જવાની સહાય કરી. એમણે સ્વદોષ જોયા, પરાયા દોષ ન જોયા. આવા ભાવ આવશે ત્યારે દુખમાં આનંદ આવશે. આશાભેર મળવા આવેલ બાપઃ ડેસી ધ્રુજતા ધ્રુજતા પુત્રના બંગલાના કંપાઉન્ડમાં દાખલ થવા જાય છે ત્યારે પહેરેગીર કહે ખડે રહો, ત્યારે બાપા કહે છે ભાઈ, મને અંદર જવા દે. મારે મારા દીકરાને મળવું છે ત્યારે પહેરેગીર કહે છે તમારે દીકરા અહીં ક્યાં છે? આ બંગલામાં અમારા એન્જનીયર સાહેબ રહે છે. ત્યારે કહે છે તાર સાહેબ એ મારો વ્હાલસોયે દીકરે અમર છે. મારે એને મળવું છે મને જવાદો. મેં એને દૂરથી ઉપર અગાશીમાં ઉભેલો જોયે છે. હું એને શે તે શોધતો આવ્યો છું. મને જવાદે. ના પાડવા છતાં જેર કરીને ડેસા અંદર જવા જાય છે ત્યાં પેલા પટાવાળાએ જોરથી ધક્કો માર્યો. બિચારો ગરીબ માણસ દૂધ-ઘીના તે દર્શન ન થતાં હોય, લખો સૂકો રોટલો ખાતો હોય એના શરીરમાં તાકાત ક્યાંથી હોય? એક ધક્કો મારતાની સાથે પડી ગયું ને નીચે પડેલા પથ્થર સાથે તેનું માથું અથડાવાથી માથાની ધોરી નસ તૂટી ગઈ. લેહીની ધાર થઈ. માથે બાંધેલું ફળીયું દબાવતે લથડીયા ખાતે ધર્મશાળામાં પહોંચી ગયા. એની પત્ની પણ સાથે આવી હતી. પાડોશીએ ઘણી ના પાડી પણ માતાનો જીવ ન રહો. પુત્રને મળવાની આતુરતાથી સાથે આવી હતી. પણ પિતે ધર્મશાળામાં રેકાઈને પતિને પુત્રની શોધ કરવા મોકલ્યા હતે. દીકરાને મળવા આવતાં બાપે ગુમાવ્યા પ્રાણુ પતિના માથામાંથી લોહી વહ્યું જાય છે. લથડીયા ખાતે એકદમ ઢગલે થઈને બેસી ગયે. પત્ની એકદમ બેબાકળી બનીને પૂછે છે શું થયું ? ત્યારે કહે છે જે થયું તે થયું. તું મને જલ્દી નવકારમંત્ર સંભળાવ. હું ઘડી બે ઘડીને મહેમાન છું. હવે જીવવાની આશા નથી. દેવાનુપ્રિય જુઓ. આ બાપની કેવી સમતા છે! પુત્રને ઘેર પ્રવેશ કરવા જતાં નેકરે પાટુ માર્યું પણ મનમાં જરાય કષાય નથી. એક ચિત્તે નવકારમંત્ર સાંભળે છે. ત્યારે પત્ની પૂછે છે સ્વામીનાથી આપને શું થયું? કેઈએ આપને માર માર્યો કે પડી ગયા? શું થયું? દીકરો મળે કે નહિ? ત્યારે કહે છે મેં અમરને બંગલાની ગેલેરીમાં ઉભેલો જોયે. પણ એણે મને જે કે ન જોયે એ ખબર નથી. ગમે તેમ થયું પણ મને અમર અમર બનવાને સંદેશ દઈ ગયો. હું તે જાઉં છું પાછળ દીકરે તને બેલાવે કે ન બોલાવે તો તું અફસોસ ન કરીશ. આટલું કહી “અરિહંત શરણું પવન્જામિ” કહેતાં બાપાએ પ્રાણ છોડી દીધા. ડોશીમા ખૂબ રડવા ને ઝરવા લાગ્યા. ધર્મશાળામાંથી
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy