SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કે આ મહામંગલ છે, માટે ગ્રંથના મંગલાચરણના રૂપમાં એને જ કેટલાક વિવેચન સાથે પ્રસ્તુત કરવું અધિક શ્રેષ્ઠ થશે. નવકાર મંત્ર णमो अरिहंताणं, ણમો અરિહંતાણં, णमो सिद्धाणं, ણમાં સિદ્ધાણં, णमो आयरियाणं, ણમો આયરિયાણં, णमो उवज्झायाणं, ણમો ઉવજઝાયાણં णमो लोए सव्व-साहूणं । ણમો લોએ સવ્વ-સાહૂણં, Fો પંચ-મોરો, સત્ર-પાવMUTHUો ણમો પંચણમક્કારો, સવ-પાવપ્પણાસણો મંત્રિાdi ચ સવ્વહિં પઢમં હવફ મંડાત્મા મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલા ભાવાર્થ : અરિહંતોને નમસ્કાર હો સિદ્ધોને નમસ્કાર હો આચાર્યોને નમસ્કાર હો ઉપાધ્યાયોને નમસ્કાર હો સમગ્ર લોકમાં સ્થિત બધા સાધુઓને નમસ્કાર હો. આ પંચ પરમેષ્ઠીરૂપ મહાન આત્માઓને કરવામાં આવેલ નમસ્કાર બધાં જ પાપોનો સંપૂર્ણતઃ નાશ કરનાર છે તથા વિશ્વનાં સમસ્ત મંગલોમાં પ્રથમ પ્રધાન-સર્વશ્રેષ્ઠ મંગલ છે. વિવેચન : ભારતીય સંસ્કૃતિમાં નમસ્કારને પરમોચ્ચ સ્થાન પ્રાપ્ત છે. જ્યારે નમસ્કારણીય પ્રત્યે સર્વતોભાવેન સમર્પણા થાય છે કે તરત નમસ્કર્તાના મહાન દોષ અહંકાર સર્વતોભાવેન વિચલિત થઈ જાય છે. વિનયની ઉચ્ચત્તમ સ્થિતિનો પ્રાદુર્ભાવ થાય છે. હૃદયમાં સહજતા, સરળતા તથા ગુણજ્ઞતા જેવા ગુણોની અભિવ્યક્તિ થાય છે. નમસ્કારનો અર્થ : નમસ્કાર' વિનમ્રતા તથા ગુણોત્કર્ષતાનું વિશુદ્ધતમ પ્રતીક છે. આ દષ્ટિએ “નમસ્' શબ્દની નિયુકિત કરતાં વૈયાકરણ કહે છે - मत्तस्त्वमुत्कृष्टस्त्वत्तोऽहमपकृष्टः एतद्द्वय बोधनानुकूल-व्यापारो हि नमः शब्दार्थः । ઉપરોક વાક્યનો ભાવાર્થ છે કે નમસ્કાર કરનારમાં આ ભાવ પેદા થાય છે કે મારાથી આપ ગુણોમાં ઉત્કૃષ્ટ છો. હું આપનાથી અપકૃષ્ટ છું, ગુણોમાં નાનો છું અર્થાત્ આપ નમસ્કાર્ય છો. K મહામંગલ મહામંત્ર નવકાર જજોન ૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy