SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ नाणाहिओ वरचरण हीणो वि हु पवयणं पभासन्तो । णय दुक्करं करेंतो सुट्ठठुवि अप्पागमो पुरिसो ॥ જે વ્યક્તિ શ્રેષ્ઠ ચારિત્રથી રહિત છે, પરંતુ સમ્યજ્ઞાનમાં શ્રેષ્ઠ છે અને પ્રવચનથી પ્રભાવના કરે છે, તો તેની અપેક્ષા શ્રેષ્ઠ છે. જે દુષ્કર તપ આદિ તો કરે છે, પરંતુ જ્ઞાનરહિત સમ્યજ્ઞાન રહિત છે. સમ્યજ્ઞાનના મહિમા અને ગરિમાને સમજીને જ્ઞાન-સંપાદનમાં યત્ન કરવો જોઈએ. જે જ્ઞાની હશે તે વિરતિનો અંગીકાર કરશે, કારણ કે ‘TK નં વિરૂં' જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે. એ જ્ઞાન જ શું જે વિરતિમાં પરિણત ન હોય ? જ્ઞાનની પરિભાષા ‘જ્ઞાતિજ્ઞાંનામ્’ અર્થાત્ જાણવું જ્ઞાન છે અથવા જ્ઞાયતે-પરિચ્છિદ્યતે વસ્તુ અનેનેતિ જ્ઞાનમ્ ।’ જેના દ્વારા વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે, તે જ્ઞાન છે. સ્વ-પરને જાણનાર જીવનું પરિણામ જ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અથવા ક્ષય થવાથી તત્ત્વાર્થબોધને જ્ઞાન કહે છે. પદાર્થના વિશેષ સ્વરૂપને જાણનાર બોધ - વ્યાપાર જ્ઞાન છે. જ્ઞાનના ભેદ જ્ઞાનના પાંચ ભેદ કહ્યા છે - બાળ પંચવિદ્ પળત્ત ! તુંનહા-સમિળિોહિય-નાળ, સુવળા, ઓહિનાળ, મળપન્નવનાળ, વન-બાળ | નંદી સૂત્ર જ્ઞાનના પાંચ ભેદ તીર્થંકર ગણધરો દ્વારા પ્રરૂપિત કર્યા છે - (૧) આભિનિબોધિક જ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આભિનિબોધિક જ્ઞાનનું અપર નામ મતિજ્ઞાન છે. પ્રશ્ન : જાણવું બધાં જ્ઞાનોનો સમાન સ્વભાવ છે, પછી કયા અભિપ્રાયથી જ્ઞાનના ઉક્ત પાંચ ભેદ કર્યા છે. જો જ્ઞેય(પદાર્થ)ના ભેદથી વિભાગ કર્યા છે. જેમ કે વર્તમાનકાળની વસ્તુને ગ્રહણ કરવાવાળું જ્ઞાન મતિજ્ઞાન છે. ત્રિકાળ વિષયક શબ્દ ‘ગોચર’ વસ્તુને જાણનાર શ્રુતજ્ઞાન છે, રૂપી દ્રવ્યોને જાણનાર અવધિજ્ઞાન છે. મનોદ્રવ્યને જાણનાર મન:પર્યયજ્ઞાન છે અને બધા પર્યાયયુક્ત બધાં દ્રવ્યોને જાણનાર કેવળજ્ઞાન છે. તો આ કથન સમીચીન નથી. કારણ કે જ્ઞેયકૃત ભેદ માનવા પર કેવળજ્ઞાનના ઘણા ભેદ થઈ જાય છે. જે વિષય મતિ આદિ જ્ઞાન દ્વારા જાણી શકાય છે, તે કેવળજ્ઞાન દ્વારા પણ જાણી શકાય છે, અન્યથા કેવળજ્ઞાન દ્વારા બધું જાણી શકાય છે. આ કથન સંગત થશે નહિ. આ અનિષ્ટ છે, તેથી એ બતાવો કે જ્ઞાનના આ પાંચ ભેદ કઈ અપેક્ષાથી છે ? ૧૬૨ જિણધો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy