SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ૨–તેના સામે જમણા હાથે મેટો શિલાલેખ છે તે તેજપાલ સેનીના કરાવેલા સુધારાને છે ને બાજુમાં ૩-તે અકબરશાહે શત્રુંજયને કર માફ કર્યો ને સાધુઓએ જાત્રા કરી તે જણાવનારો છે. એમ અત્યારે ત્યાં ત્રણ શિલાલેખ વિદ્યમાન છે. દાદાના દર્શન ગામમાંથી ચાલતાં જયતલાટીએ ગિરિરાજની સ્પર્શના કરી ચૈત્યવંદન કર્યું. ગિરિરાજ ચઢવા માંડ્યા. કમે રામપળે આવ્યા. ત્યાંથી વાઘણપોળે આવ્યા. વિમલવસહીમાં શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન કર્યું. હાથીપળે આવ્યા. રતનપેળમાં પ્રવેશ કર્યો અને હવે જણાવી ગયા તેમ દાદાના દરબારે આવ્યા. ચમત્કારી દાદાના દર્શન કરતાં હૈયું નાચી ઊઠે છે. સંતાપ ભૂલી જવાય છે અને ભાવના બળવાન બને છે, એટલું જ નહિ પણ દિલડું એવું તે ચૅટે કે ત્યાંથી ખસવાનું મન પણ ન થાય. દાદાના દર્શને સ્તુતિ કરે અને ચૈત્યવંદન કરે, નવ લેગસ્સને કાઉગ્ન કરે, નવ ખમાસમણ દે. તે આ પ્રમાણે – ચિત્યવંદન શ્રી આદિજિનેશ્વરનું ચૈત્યવંદન, આદિદેવ અલવેસરૂ, વિનિતાને રાય, નાભિરાય કુલમડો, મરૂદેવા માય છે ધનુષ્ય પાંચશે દેહડી. પ્રભુજી પરમ દયાલ; રાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ છે વૃષ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણ મણિ ખાણ તસ પદ પદ્મ સેવનથકી, લહીએ અવિચલ ઠાણ ૩ સ્તવન માતા મરૂદેવીના નંદ, દેખી તારી મૂરતિ મારું મન લેભાગુંજી, | મારું દીલ લેભાગુંજી, દેખી. ૧ કરુણાનાગર કરૂણાસાગર, કાયા કંચનવાન, ધરી લંછન પાઉલે કાંઈ, ધનુષ્ય પાંચસે માન. માતા. પરા ત્રિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર, જે જનગામમિની વાણું મીઠી, વરસંતી જલધાર. માતા. મારા (૧૨૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy