SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કહેવાય છે કે તેથી ગિરિરાજના ઉત્તર દક્ષિણ બે ભાગ થઈ ગયા. શ્રી વજસ્વામિજી, જાવડશા અને તેમનાં પત્ની આ ત્રણ સિવાય સઘળાં મૂછવશ થઈ ગયાં. પરંતુ શ્રીવ જસ્વામિજીએ બધાને સચેતન કર્યા અને ચંભિત થયેલા દેને વજસ્વામિજીએ છુટા કર્યા. નવા કપદિયક્ષે બધા ક્ષુદ્ર દેવને ભગાડી મૂકયા. ત્યાર પછી મોટો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. અને સારા મુહૂતે નવા શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી. જાવડશા અને તેમનાં સુપત્ની ધ્વજા ચઢાવતાં ખૂબ હર્ષમાં આવી ગયા. અને અતિવર્ષના ગે હદય બંધ પડી જવાથી (નીચે પડી જવાથી) મૃત્યુ પામ્યાં અને ચેથા દેવલેકમાં દેવ થયાં. જાવડશાને પુત્ર ઝજનાગ વિલાપ કરવા લાગ્યું. ત્યારે વજસ્વામિજી અને ચશ્વરીદેવીએ તેમને શાંત્વન આપ્યું અને કહ્યું કે આમાં શેક કે? તમારા માતા-પિતા તે ઉત્તમ કાર્ય કરી ગયા છે. અને મૃત્યુ પામી ચેથા દેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા છે. વ્યંતરદેવેએ બંનેના મૃતદેહને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં. જાવડશા તક્ષશિલાથી શ્રી આદીશ્વર ભગંવતની પ્રતિમાજી શ્રીસિદ્ધિગિરિજી લાવ્યા, તેમાં નવલાખ સેના મહોરોને વ્યય કર્યો હતો અને પ્રતિષ્ઠા મહોત્સવમાં દશલાખ સેના મહેર વાપરી હતી. જીર્ણોદ્ધારમાં તે કેટલે ખર્ચ કર્યો હશે તે વાંચકે આ ઉપરથી સ્વયં સમજી લે. ધન્ય હો પાંચમા આરામાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર જાવડશા મહાપુરુષને! કે જેમણે લક્ષ્મીની મૂછ ઉતારી તીર્થોદ્ધારના ઉત્તમ કાર્યમાં લક્ષ્મીને સદ્વ્યય કર્યો. (૨) ઉદ્ધાર ચૌદમે બાહડ મંત્રીને વિ.સ. ૧૨૧૩ એકવાર કુમારપાળ મહારાજાએ સેરઠ દેશના રાજા સમરને જીતવા ઉદયન મંત્રીને મોકલ્યા હતા. તે વખતે શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં શ્રીષભદેવ ભગવંતની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતા જોઈ ઉંદર પાસેથી તે વાટ મૂકાવી. ઉદયન મંત્રીને વિચાર આવ્યું કે કાષ્ટના મંદિરને કઈ વખત આવી રીતે નાશ થઈ જવાનો સંભવ છે, રાજ્યના પાપ વ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની? યુદ્ધમાંથી પાછા ફરી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવીશ, માટે મારી લક્ષ્મીથી જ્યાં સુધી જીર્ણોધ્ધાર ન કરાવું ત્યાં સુધી મારે “નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને તાંબુલને ત્યાગ કરવો. આ પ્રમાણેના અભિગ્રહ ભગવંતની આગળ કર્યા. (૭૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy