SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ આત્મવિચાર–અધિકાર ૫૦ અને વિટ જાણતા વિવિધ વ્યવહારના કામ કરવાની તમને નવરાશ મળે છે, નાટકે જેવા જવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે, અને હૃદયમંદિરમાં પિસવાની તમને નવરાશ નથી મળતી. બહુ સારું બહાર ફયી કરો, બહાર સુખને શોધ્યા કરે. રત્નની ઉપેક્ષા કર્યા કરે, અને ધુમાડાના બાચકા ભરીને ખુબ કમાણી કરી છે. એમ માનીને આનંદમાં મગ્ન રહે. આખરે પેટી ખાલીખમ્ રહે, દરિદ્રતાનું દુઃખ જણાયે, હદયમંદિરમાં પધારજો! હૃદયમંદિરમાં પરમેશ્વર વસે છે, એવું તમે શ્રદ્ધાપૂર્વક માને છે, એની ખાતરી શી? જો તમે માનતાજ છે કે હૃદયમાં તે છે, તે ત્યાં તમે તેમને શેજ. પણ તમે ત્યાં નથી શોધતા, એ શું દર્શાવે છે? એજ કે તમને હદયમાં ઈશ્વર છે એની પૂણે ખાતરી નથી, અથવા ખાતરી છે તે તમને ઈશ્વર મેળવવાની હજી અને ગત્ય જણાતી નથી. કૂવામાં જળ છે એવું જાણવા છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાનો પ્રયત્ન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તૃષા લાગી નથી. તમે પણ હૃદયમંદિરમાં છે, એવું જાણતાં છતાં, જે હજી હદયમંદિર શોધતા નથી તે તમને પણ હજી ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ નથી. પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સુખ પ્રાપ્ત કરવાની ઈછા અખંડ કુર્યા કરે છે, તેથી પ્રત્યેક મનુષ્યને ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા છે, એ સિદ્ધ થાય છે. કારણકે ઈશ્વર અને સુખ એ બે કંઈ ભિન્ન પદાર્થ નથી. ઉભય એકજ છે, તેથી પ્ર ત્યેક મનુષ્ય સુખને ઈચ્છતે હેવાથી તે ઈશ્વરને જ ઇચ્છે છે. પરંતુ નિચારવાન મનુષ્ય જ્યારે આ સુખ અથવા ઈશ્વર હૃદયમાં છે, એમ માને છે, અને તેથી તેને ત્યાં શેઠે છે ત્યારે અજ્ઞાની મનુષ્ય આ સુખ અથવા ઈશ્વર હૃદયથી બહાર છે, એમ માને છે, અને તેથી તેને બહાર શોધે છે. અને આથી સુખની યથેચ્છ પ્રાપ્તિ કરવામા સર્વદા નિષ્ફળ રહે છે. સમુદ્ર પયંતની પૃથ્વી પ્રાપ્ત કરવા છતાં શું નૃપતિને હૃદયમાં યથેચ્છ સુખ મળ્યું હોય છે ? ના, કારણકે સુષ બહારના પૃથ્વી આદિ પદાર્થોમાં નથી, પણ અંતર છે. અનર્ગળ દ્રવ્ય સંગ્રહ કરી શું શ્રીમાન પરમશા. તિને અનુબવ કરે છે ? ચિંતા વગેરે સંતાપને ઉપજાવનારા વિકારોથી તે રહિત હેય છે? ના, કારણકે પરમશાંતિ દ્રવ્ય વગેરે બાહ્ય પદાર્થો માં નથી, પણ અંતર છે. દેવાદિને વશ વર્તાવવા જેવું સામર્થ્ય તથા અલોકિક ઐશ્વર્ય પ્રાપ્ત કરવાથી શું રાવણે અચલ તૃતિને અનુભવ કર્યો હતે? ના, કારણ અચલ તૃપ્તિ બાહ્ય પદાર્થોમાં નથી પણ અંતર છે. જ્ઞાનવાન તથા અજ્ઞાનીને ભેદ આ જગાએજ છે. જ્ઞાનવાનું સુખને અંતરમાં-હૃદયમાં પિતાનામાં–શેળે છે. ત્યારે અજ્ઞાની સુખ બહાર-જગતમાં-દશ્ય પદાર્થોમાં શેધે છે. હેજ માં અથવા ટાંકીમાં બારથી આણને ભરેલું જળ થેડા દિવસમાં ખાલી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy