SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રા. ચતુર્થ - વિવેચન–વિદ્યા અને મુક્તિ પ્રાપ્તિને કે સંબંધ છે તે વિચારવા જેવું છે. વિદ્વાનને જ મોક્ષ મળે છે એમ નથી, પણ અભ્યાસની સાથે સરળતા-સદ્વર્તન જોઈએ. સ્માઇલ્સ નામને એક પ્રખ્યાત ગ્રંથકાર કહે છે કે અસાધારણ વિદ્વત્તાની સાથે હલકામાં હલકા દુર્ગણે કેટલીકવાર મળેલા હોય છે, અને ઉચ્ચ ચારિત્રને વિદ્યા સાથે કાંઈ પણ ખાસ સંબંધ નથી; દેવ, ગુરૂ, ધર્મપર શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ - ર્તન અને સરળ સેમ્ય પ્રકૃતિથી ઘણું ભદ્રક જીવે તરી ગયા છે. હકીકત આમ છે છતાં પણ વિદ્યાવાનને સંસાર તો સહેલે પડે છે, એમાં તે જરા પણ શક નથી. જ્ઞાનીને વિચારણુ-વર્તન સારા થઈ જવા બહુ સંભવ છે. અને અજ્ઞાની કરોડ વર્ષે જે કર્મક્ષય કરે તે જ્ઞાની એક શ્વાસે શ્વાસમાં કરી શકે છે, પણ આવી સગવડ છે તે સાથે જ જે જ્ઞાની પ્રમાદી થઈ જાય, આડંબર કરનારે થઈ જાય, વાહવાહ બેલના થઈ જાય, આશાભાવ રાખી ધર્માચરણ કરે, તે તેને મોટું નુકશાન થાય છે અથવા ટુંકમાં તેને અધઃપાત થાય છે. જેમ કર્મક્ષયનું પ્રબળ સાધન જ્ઞાનીના હાથમાં રહે છે, તેમ તીવ્ર કર્મબંધ અને જવાબદારીનું જેખમ પણ તેને માથે વધારે છે. જ્ઞાનવાને-વિદ્યાવાને બહુ વિચારીને દરેક કાર્ય કરવાની જરૂર છે. મૂળ લેકમાં શાસ્ત્રને નહીં અભ્યાસ કરનાર એમ કહ્યું છે, તે અ૫ અભ્યાસ કરનાર માટે હોય એમ સમજાય છે. આ શ્લેકથી અજ્ઞાનવાદને પુષ્ટિ આપી નથી તે ખાસ સમજવાની જરૂર છે. આ આખા અધિકારમાં જ્ઞાનને અલપાંશે પદ આપવામાં આવ્યું હોય ત્યાં વિષય પ્રતિભાસ જ્ઞાનને અંગે તે કથન છે એમ સમજવું. તત્વસંવેદન જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે તે આ અધિકારમાં વર્ણવેલી સ્થિતિ હોય જ નહીં. તે જ્ઞાનવાનને હેય ઉપાદેયને શુદ્ધ નિશ્ચય હોય છે, તેની વૃત્તિ સ્વસ્થ હોય છે. તેવા જ્ઞાનવાળાનું વર્તન બહુ શુદ્ધ હોય છે અને તેની અને અ૯પ અભ્યાસની કદિ પણ સરખામણ થઈ શકે જ નહીં, શાસ્ત્રકાર અન્ય જ્ઞાનવાદની કદિ પણ પુષ્ટિ આપતા નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બાકી જ્ઞાનનાં પુરતો ભંડાર કબજામાં રાખવાથી અને મોટી સભાઓ જીતવા માત્રથી કાંઈ બહુ લાભ નથી એ અત્ર ઉદેશ છે. ૧૪ આ પ્રમાણે કહી આ કુવક્તા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. * હરિભદ્ર અષ્ટક (૯-૬)
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy