SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, હિતીય મોટાઓને કદિ પણવિકાર થતો નથી તેનું દ્રષ્ટાંત સહિત પ્રતિપાદન કરે છે. અનુકુન્ (૧ થી ૬) गवादीनां पयोऽन्येद्युः, सद्यो वा जायते दधि । , क्षीरोदधेस्तुनायापि, महतां विकृतिः कुतः ॥१॥ ગાય, ભેંસ, બકરી વિગેરેનું દૂધ બીજે દવસે અથવા તરતજ દહિં થઈ જાય છે. પણ દૂધના સમુદ્રનું દૂધ અદ્યાપિ દહીં થયું નથી. અર્થાત્ જે સત પુરૂષ છે, તેમને વિકાર કેમ થાય ? ન જ થાય. ૧ તે વિષે સમુદ્ર અને હસ્તીનું અસરકારક દષ્ટાંત रत्नरापूरितस्यापि, मदलेशोऽस्ति नाम्बुधः। મુile વતિયા નાથ, માતા મહાવિદ્યા | ૨ સમુદ્ર રનથી ભરપૂર છે, તથાપિ તેનામાં લેશ માત્ર પણ મદ તે નથી. અને હાથીઓ ડાં મોતીઓ પ્રાપ્ત કરી મદ વડે વિઠ્ઠલ બની જાય છે. કહેવાને આશય એ છે કે, ઉત્તમ પ્રકારના પુરૂષે ગમે તેટલે વૈભવ પ્રાપ્ત કરે તે પણ તેઓ ગર્વ કરતા નથી અને ક્ષુદ્ર મનુષ્યો થેડે વૈભવ મળતાં બહેકી જાય છે. ૨ - વિકારના બાહ્ય સ્વરૂપનાં દર્શન વિષે શંખનું દષ્ટાંત. सन्तो न यान्ति वैवर्ण्यमापत्सु पतितास्वपि । पहिना दग्धशङ्खोऽपि, शुक्लत्वं नैव मुञ्चति ॥३॥ સપુરૂષે આપત્તિઓ આવી પડે તે પણ પિતાને વર્ણ બદલતા નથી. શંખને અશિથી બાલ્ય હોય તે પણ તે પોતાને શુકલ વર્ણ છેડેતે નથી. ૩ સુવશ (સારે વાંસ અથવા સારા વંશમાં થયેલે પુરૂષ) કષ્ટમાં આવી પડે તેપણ કુવચન બોલતો નથી. छिनः स निशितैः शस्त्रैर्विद्धश्च नव सप्तधा। तथापि हि सुवंशेन, विरसं नापजल्पितम् ॥ ४॥ સારા વશ–વેણુ તીક્ષણ શસ્ત્રોથી છેદવામાં આવે, તથા સાત અથવા નવ પ્રકારે વધવામાં આવ્યું, તે પણ તેણે અપશબ્દ ઉચ્ચાર્યા નહીં.+ ૪ ૧ ક્રોધાદિ કષાયે ઉત્પન્ન થવાથી માણસ પિતાને વર્ણ બદલે છે એટલે કે ધમાં રાતે થઇ જાય છે અને અપકૃત્ય કરવાથી શ્યામ થઈ જાય છે. + બીજો અર્થ એ પણ થાય છે, જેનો સાર વંશ-કુલ હોય તેને ગમે તેટલું દુખ આપવામાં આવે તે પણ તે પુરૂષ મુખમાંથી અપશબ્દો કાઢતો નથી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy