SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પરલોક વિરૂદ્ધ... દુઃખનું રિઝર્વેશન ૧૦. વિષવાણિજ્ય - ઝેર-ઝેરવાળી જંતુનાશક દવા વગેરેનું વેચાણ કરવું. તેમાં ઘણાં જીવોની વિરાધના થાય છે. ૧૧. યંત્રપીડનકર્મ - તલ, શેરડી વગેરેને યંત્રમાં પીલવા, તેલ વગેરે કાઢવું, તેલ ઘાણી ચલાવવી. ૧૨. નિલંછન કર્મ-પશુઓના નાકને વીંધવા, તેમના શરીર પર ડામ વગેરે દઈને ચિહ્ન કરવું, કાન વગેરે છેદવા, બળદ વગેરેને વર્ધિતકકરણ કરવું. ૧૩. દવાગ્નિ કર્મ - જંગલમાં આગ લગાડવી. ૧૪. સરશોષકર્મ - તળાવ, સરોવર વગેરેને સુકવી નાંખવા. પાણીને શોષી લેવું. ૧૫. અસતીપોષણ - પોપટ-મેના વગેરે પોષવા. દાસીઓને પોષી તેમનું ભાડું લેવું. આજે કતલખાના, પોસ્ટ્રીફાર્મ, માંસવેંચાણ, હિંસક દવાઓ, ક્રુરતાથી બનેલ સૌંદર્યપ્રસાધનો તથા આવા અનેક વ્યાપારો આ કક્ષામાં આવે છે. લાખો-કરોડો મનુષ્યના જીવનને ખતમ કરતા તંબાકુના વ્યાપાર, ગુટકાના વ્યાપાર બધા પરલોકવિરૂદ્ધ છે અને ભયંકર દુર્ગતિમાં કારણભૂત છે. આનો સાર એ છે કે ભયંકર હિંસાદિ પાપો જેને
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy