SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ પૂ-મધ્યકાલીન શિલ્પકલા મૂર્તિ એ ઠાઠમાં એકબીજાની પ્રતિકૃતિ જેવી બનવા લાગી. મૂર્તિઓનાં લક્ષણા અને પ્રતીકો નિયમબદ્ધ થઈ ગયાં હતાં. નિયમેાનું નિયંત્રણ હોવાથી મૂર્તિ કારને પેાતાની અભિરુચિ, કલા-કૌશલ અને રચનાત્મક પ્રતિભા વ્યકત કરવાના ઘણા ઓછા અવકાશ હતા. તેથી આ કાલની મૂર્તિ એમાં સજીવતા, નવીનતા અને મૌલિકતાનું પ્રમાણ ઘટી ગયેલું જોવા મળે છે. તેમ છતાં કલાકારનું કલાચાર્ય મુખ-મ`ડલની સુંદર આકૃતિ અને શરીર-સૌષ્ઠવ દર્શાવવામાં ખીલી ઉઠયું છે. ૧૯૯ ૪) આ કાલનાં શિલ્પામાં સુશાભન માટે પ્રયોજેલ ફૂલવેલનાં રૂપાંકન ધીમે ધીમે ૧૨મી સદીના અંત સુધીમાં પથ્થરની જાળીનું સ્વરૂપ ધારણ કરે છે. પથ્થરમાં કરેલી આ જાળીઓ કલાના નિષ્પ્રાણ કલેવર જેવી ભાસે છે. શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ અને જૈન ધર્મને લગતી દેવ-દેવીઓ, તી કરો, વિદ્યાધરો, સાધુઓ વગેરેની મૂર્તિ એ શિલ્પશાસ્ત્રમાં વર્ણવેલ એમનાં માપ, આયુધ, વાહન, લાંછન વગેરે અનુસાર કરવામાં આવેલ છે. ઉપરાંત અન્ય પ્રકારની શિલ્પકૃતિએ પણ પરંપરાગત અને નિયમબદ્ધ શૈલીએ તૈયાર થઈ છે. એમાં પૌરાણિક પ્રસંગો, ગીત અને નૃત્યનાં દશ્યા, પ્રસાધન દશ્યો, શિકાર, મુસાફરી, યુદ્ધો, કુસ્તી, ધાર્મિક વાર્તાલાપ, કામશાસ્રનાં દૃષ્ટાંત જેવાં અનેક શિલ્પા, વિવિધ પશુ, પક્ષીઓ, મિાસ્વરૂપનાં પ્રાણીઓ ફૂલ-વેલની ભાત અને ભૌમિતિક આકૃતિએ વગેરે વિવિધ વિષયો જોવા મળે છે. આ કાલનાં શિલ્પાને એમના પ્રાદેશિક વિકાસના સંદર્ભમાં તપાસવાં સુગમ થઈ પડશે. ૨) આરિસ્સા કલિંગ દેશમાં ૮ મી ૯ મી સદીથી પૂર્વી` ગંગ રાજાઓના પ્રોત્સાહન નીચે સ્થાપત્ય અને શિલ્પક્ષેત્રે વિશિષ્ટ એરિસ્સા શૈલી પાંગરી હતી. પ્રસ્તુત કાલમાં એના ચરમોત્ક સધાયેલા જણાય છે. ભુવનેશ્વરનાં લિંગરાજ (ઈ. સ. ૧૦૦૦) અને રાજરાણી (ઈ. સ. ૧૧૫૦) મંદિરો અને કોણારકનું સૂર્યમંદિર (ઈ. સ. ૧૨૩૫-૧૨૬૫ દરમ્યાન) આનાં શ્રેષ્ઠ દષ્ટાંત છે. એરિસ્સાની શિલ્પશૈલીમાં દેવ-પ્રતિમાઓના રૂપાંકનમાં હૃષ્ટપુષ્ટ અંગવિન્યાસની સાથેાસાથ ાજસ્વિતા અને ગતિશીલતાની અસર વરતાય છે. મંદિરો પર બનેલી નાગકન્યાએ, વિવિધ નૃત્યભંગીઓ દર્શાવતી નૃત્યાંગના અને નાયિકાભેદની મૂર્તિ એ, માતૃ-વાત્સલ્ય પ્રગટ કરતી મૂર્તિ એ તેમજ કામસૂત્રમાં નિરૂપાયેલાં અનેક આસનોનાં ઉદાહરણા પૂરાં પાડતી મિથુનમૂર્તિ એ લાલિત્યપૂર્ણ છે. મદિરોની પીઠ પરનાં ગજથર, અશ્વત્થર, ભૃગથર વગેરેમાં પ્રાણીઓનું સુરેખ આલેખન થયુ છે. ફૂલવેલનાં સુાભના તથા ભૌમિતિક રૂપાંકનાનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy