SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ધમ સોંપ્રદાય ગુજરાતમાં આજે ભાગ્યે જ કાઈ ગામ એવું હશે કે જ્યાં નાનુ` મેહુ શિવાલય જોવા ન મળે. આ શિવાલયે સાદાં હાય છે. ત્યાં સામાન્ય કક્ષાનાં શિવલિ ંગાની પ્રતિષ્ઠા કરેલ હોય છે. તેની સાથે નંદી, ગણેશ, હનુમાન, ભૈરવ, શીતળામાતા, વગેરે દેવીએ પૂજાતી હોય છે. ઘણાં મેટાં શિવાલયેમાં તેના ગવાક્ષમાં શિવનાં રૌદ્ર અને સૌમ્ય સ્વરૂપાની પ્રતિમાએ આવેલી જોવા મળે છે. દા.ત., શામળાજીનું મંદિર, રુદ્રમહાલય, હાટકેશ્વર, બાવકાનુ· શૈવમ ંદિર. ३२ ઘણાં ગામેામાં શ્રાવણ માસમાં શિવના જીવન પ્રસંગાની કથાવાર્તા થાય છે. કેટલાક ઠેકાણે ઘીનાં લિંગે, માટીનાં લિંગા બનાવી તેની પૂજા થાય છે. કેટલાંક મદિરામાં કંદાર, અમરનાથ જેવાં સ્થળાનાં દૃસ્યાનુ આલેખન કરવામાં આવે છે. સાહિત્ય પર અસર : ગુજરાતમાં શૈવ ધર્મની અસર સમાજ અને સ્થાપત્ય સાથે સાહિત્ય પર પણ પડેલી જણાય છે. ઘણાં પુરાણેામાં શૈવ સંપ્રદાયને લગતી કથાએ જોવા મળે છે. દા.ત., સ્કંદપુરાણ, ગુજરાતને લગતાં ધણાં પુરાણા જેવાં કે ધર્મારણ્ય પુરાણુ, સર સ્વતી પુરાણ,સાભ્રમતી પુરાણ વગેરેમાં શૈવીત્ર્યનું અને શિવાલયાનુ વણુ ન જાણ્વા મળે છે. ભૃગુ કચ્છના જયસિંહસૂરિએ રચેલા એક નાટકમાં છેલ્લા અંકમાં શિવનુ પાત્ર આવે છે. વાઘેલા સમયમાં રચાયેલા હમ્મીરમન નાટકમાં નાયક વીરધવલને શંભુસાક્ષાત પ્રગટ થઈ વરદાન આપે છે તેના ઉલ્લેખ છે. ચૌલુકન્યકાલીન કેટલાક શિલાલેખા, પ્રશસ્તિએ, તામ્રપત્રામાં શરૂઆતમાં ૐ નમઃ શિવાય થી કરવામાં આવી છે. કેટલાકમાં ગણપતીની અને પાવતીની સ્તુતિ કરવામાં આવેલ છે. તામ્ર શાસનામાં ઘણાં દાન શિવાલયને આપ્યાના ઉલ્લેખ મળે છે. ધણી સાહિત્યકૃતિઓની શરૂઆત શિવની સ્તુતિ કરીને કરવામાં આવેલ છે. દા.ત., બિલ્હેણુ કૃત ક સુ ંદરી, કન્ય સેામેશ્વર રચિત કીર્તિ કૌમુદી વગેરે. તહેવારા ઃ સમાજમાં સામાન્ય રીતે ઘણા તહેવારા શૈવ સંપ્રદાયને અનુસરીને ઉજવવામાં આવે છે. દા.ત., મહાશિવરાત્રી, ગણેશચતુર્થી, ગૌરીવ્રત, શ્રાવણ માસ વગેરે. નાગરામાં હાટકેશ્વરના ઉત્સવ વખતે શિવનેા વરવાડા કાઢવામાં આવે છે. શિવરાત્રીના તહેવારના દિવસે અનેક ગામેામાં શિવની પ્રતિમાને પાલખીમાં બેસાડી ખૂબ ધામધૂમથી નગરમાં ફેરવવામાં આવે છે. કેટલીકવાર પંચાંગમાં બે એકાદશી આવતાં એક શૈવ માગી કહેવાય છે તા ખીજી વૈષ્ણવમાગી કહેવાય છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy