SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય મુઘલકાલ પછી ગુજરાતમાં મરાઠાઓ અને અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આ સમયે કઈ ધાર્મિક સંઘર્ષ ઊભો થા ન હતા. મુઘલકાલમાં શૈવ ધર્મ જે સ્વરૂપે ગુજરાતમાં પ્રચલિત હતા તે જ સ્વરૂપે મરાઠા સમયમાં પણ ટકી રહ્યો હતે. આજે પણ ગુજરાતમાં પૌરાણિક ભક્તિ સ્વરૂપને શૈવ ધર્મ પ્રચલિત છે. વારતહેવારે, સોમવારે ભાવિક લકે શિવલિંગ ઉપર અભિષેક કરે છે. શ્રાવણ માસમાં બ્રાહ્મણે બીલીપત્ર ચઢાવે છે. નાનાંમોટાં અનેક શિવાલયે હાલમાં અસ્તિત્વમાં છે. સોમનાથ, વડનગર, ઉત્કંઠેશ્વર, ગલતેશ્વર તેમજ નર્મદાકિનારાનાં શૈવતીર્થોનું સમાજમાં વિશેષ મહત્ત્વ છે. ભારતમાં દ્વાદશ જ્યોતિલિંગોમાં પ્રભાસના સેમનાથને સમાવેશ થાય છે એ ખાસ નોંધપાત્ર છે. લેકે વાર તહેવારે આ તીર્થ સ્થાનની યાત્રાએ જાય છે. ગુજરાતમાં પાશુપત સંપ્રદાય સામાન્ય રીતે ગુજરાતમાં શિવભક્તિને પ્રચાર ઘણું પ્રાચીન કાળથી થયા હતા. અહીં તે પાશુપત (માહેશ્વર) સંપ્રદાયના નામે ઓળખાતો. મૈત્રકવંશના રાજવીએ પિતાને “માહેશ્વર” તરીકે ઓળખાવતા. સોલંકી રાજવીઓ પણ આ જ સંપ્રદાયના અનુયાયી હતા. ભીમદેવ ૧લાના વિ. સં. ૧૦૮૬ના તામ્રપત્રમાં કચ્છ મંડલનું મસુરા ગામ આ પંથના મંગલ શિવને દાનમાં આપ્યાને ઉલ્લેખ છે. ભીમદેવ ૧લાએ શૈવ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. એ ઉપરથી કચ્છમાં આ સંપ્રદાય અસ્તિત્વમાં હોવાનું જણાય છે. આ સંપ્રદાયમાંથી સમય જતાં વીર શૈવ, કાપાલિક કે કાલમુખ વગેરે જુદા જુદા સંપ્રદાયો ઉદ્દભવ્યા. આમાંને કાપાલિક કે કાલમુખ સંપ્રદાય સેલંકીકાલમાં ગુજરાતમાં બહુ પ્રચારમાં ન હતા. આ સમયે પાશુપત સંપ્રદાયને પ્રચાર ગુજરાતમાં વિશેષ હતા. આ સંપ્રદાયના મુખ્ય સ્થાપક લકુલીશ શિવના અઠ્ઠાવીસમા અવતાર મનાતા. તેમને જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ ગામ પાસેના કાયાવરોહણમાં (કારવણ) થયે હતો. તેઓ ઈ.સ. પહેલા કે બીજા સૈકામાં થયા હોવાનું મનાય છે. | ગુજરાતના એક લેખમાં લકુલીશના રૂપમાં શિવના અવતારનું વર્ણન મળે છે. વિ. સં. ૧૩૪૩(ઈ.સ. ૧૨૮૭)ના સારંગદેવના લેખમાં જણાવ્યું છે કે પાશુપત સંપ્રદાયના આચાર્ય લકુલીશ ગુજરાતમાં નર્મદાકિનારે કારવણમાં જન્મ્યા હતા. આ લકુલીશના કુશિક, ગર્ગ મિત્ર અને પુરુષ નામના ચાર શિષ્ય હતા. આ ચાર શિષ્યોની અનુક્રમે કૌશિક, ગાગ્ય, સમય અને કૌરુષ એમ ચાર શાખાઓ ચાલી. આ મૌત્રેય ગોત્રોવાળા ત્રિપુરા-તક અને વાલ્મિક રાશિ હતા. આ ત્રિપુરાન્તક, કેદારનાથ, રામેશ્વર વગેરેની યૌત્રા કરીને સોમનાથ
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy