SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુ ધર્મ અને શૈવ સંપ્રદાય વિષ્ણુ, સૂર્ય, અશ્વિની, રુદ્ર, યમ, સેમ વગેરે વિવિધ દેવની પૂજા પ્રચલિત હતી. આ સમયે યજ્ઞોનું મહત્વ વિશેષ હતું. શરૂઆતમાં યજ્ઞો સાદ સ્વરૂપે થના. સાદા અને ઘરમાં થઈ શકે તેવા યજ્ઞો હવિયજ્ઞો કહેવાતા, અને વિશાળ માનવ સમુદાય ભાગ લઈ શકે તેવા યજ્ઞો તે સમયાગ યજ્ઞ કહેવાતા. આ ય ઘણું ખર્ચાળ હતા. ઘણું લાંબા સમય સુધી ચાલતા. મોટે ભાગે રાજાઓ આ યજ્ઞો કરાવતા. તેની પાછળ પુષ્કળ સમય અને દ્રવ્ય ખર્ચાતાં. યજ્ઞો દ્વારા ઋષિમુનિઓ પિતાના ધાર્મિક વિચારે સમાજમાં મૂર્તિમંત કરતા. સમય જતાં તે આચારનું સ્વરૂપ ધારણ કરતા. વૈદિક ધર્મમાં કર્મકાંડનું મહત્ત્વ વધ્યું હતું. તે સાથે પ્રાચીન એકેશ્વવર વાદની ભાવના પણ વિકસી હતી. સંહિતાઓ દ્વારા સામાન્ય જન સમાજની ધાર્મિક વૃત્તિ સંતોષાતી. ઉપનિષદ દ્વારા જનસમાજની તત્ત્વચિંતનની વૃતિ વિકસતી. ઉપનિષદમાં જીવ, જગત અને ઈશ્વર વિષેની ચર્ચા ઘણું વિસ્તૃત રીતે કરવામાં આવેલી છે. ધીરે ધીરે આનાથી પ્રજામાં પાપ અને પુણ્યની ભાવના વિકસી. ધર્મસુત્રોમાંથી આગળ જતાં સ્મૃતિગ્રંથ રચાયા. આનાથી પ્રજામાં જે ધર્મભાવના વિકસી તે ઉત્તરકાલીન સમૃતિધર્મ તરીકે ઓળખાવા લાગી. મૃતિકારોના મતે વિશાળ પ્રદેશમાં માન્ય થતા. સ્મૃતિગ્રંથમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કય સ્મૃતિ, પરાશર સ્મૃતિ વગેરે વધારે નોંધપાત્ર ગણાય છે. આ ગ્રંથમાં વર્ણ અને આશ્રમના ધર્મો વર્ણવેલા છે એમાં હિંદુ ધર્મનાં સઘળાં તો સમાયેલાં છે. ઉત્તરકાલીન અને વર્તમાન હિંદુ ધર્મનું સ્વરૂપ ઉત્તરકાલીન હિંદુ ધર્મમાં ધીરે ધીરે યજ્ઞો અને કર્મકાંડનું મહત્ત્વ વધી ગયું. ધાર્મિક આચારોએ રિવાજનું સ્વરૂપ ધારણ કર્યું, તેમાં પંચ મહાયજ્ઞો સમગ્ર હિંદુ ધર્મના સ્તંભરૂપ ગણાવા લાગ્યા. ધીરે ધીરે આ સમયે સંસ્કાર અને વર્ણાશ્રમ પ્રથાને વિકાસ થયે. વર્ણાશ્રમ દ્વારા એક તંદુરસ્ત સમાજની રચના થઈ. સંસ્કારો દ્વારા સમાજમાં બ્રાહ્મણો, ધાર્મિક માન્યતાઓ વગેરેનું મહત્વ વધ્યું. કેટલાક સંસ્કારે સમાજમાં રૂઢ બની ગયા. શરૂઆતમાં વર્ણપ્રથા કર્મ ઉપર આધારિત હતી તે સમય જતાં જન્મ ઉપર આધારિત બની ગઈ, પરિણામે વર્ણપ્રથાને વિકાસ થયો. વર્ણપ્રથામાંથી જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. જ્ઞાતિપ્રથા વિકસતાં, સૂકતો અને યજ્ઞોના સ્થાને મંદિરે, મૂર્તિઓ અને સ્તોત્રોનું મહત્ત્વ વધવા લાગ્યું. ઇન્દ્રાદિ વેદિક દેવોને સ્થાને શિવ, વિષ્ણુ, શક્તિ ઈત્યાદિ દેવોનું પ્રાધાન્ય વધ્યું. પ્રાચીનકાળમાં બ્રહ્યા અને સૂર્યની ઉપાસના પ્રચલિત હતી પણું વર્તમાન સમયમાં તે અસ્ત પામી છે.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy