SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ 2 હિંદુ ધમ અને શૈવ સપ્રદાય ગુજરાતની પ્રાચીન ધર્માભાવના અંગેની માહિતી આપણને પ્રાચીન ધર્મગ્ર ંથા, તથા પ્રચલિત આચારામાંથી મળે છે. મૌર્ય કાલથી આપણને આધારભૂત સાધને જેવાં કે અભિલેખા, સ્થાપત્યના અવશેષો વગેરે વિપુલ પ્રમાણમાં મળતાં હાવાથી તે પછીના સમયની આપણને પ્રમાણભૂત માહિતી અભિલેખેા, ધમ ગ્ર ંથા, સ્થાપત્યેા વગેરેમાંથી મળે છે. આથી અહીં પ્રાચીનકાલની ધમ ભાવના વિષેની ચર્ચા વેદ, પુરાણા, સ્મૃતિગ્ર ંથા વગેરેને નજર સમક્ષ રાખીને કરવામાં આવેલ છે. પ્રાચીન હિંદુ ધર્મનું સ્વરૂપઃ પ્રાચીનકાલમાં અહીં હિંદુ ધર્માંનાં બે સ્વરૂપ વિકસ્યાં. વેદકાલીન ધર્મ શ્રુતિ-આધારિત હતા, જ્યારે ઉત્તરકાલીન ધર્મ સ્મૃતિ પુરાણા પર આધારિત હતા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વેદ ધર્મથી અલગ પડેલા જુદા સ્વરૂપના ભારતીય ધર્મ છે. એ સિવાયના અસલ ભારતીય ધર્મોના વમાન સ્વરૂપને સામાન્ય રીતે હિંદુ ધમ" તરીકે ઓળખવામાં આવે છે. વૈદિક ધર્મથી એનું માત્ર પૂર્વકાલીન સ્વરૂપ સમાય, જે વર્તમાન સ્વરૂપથી ધણું ભિન્ન છે. કેટલાક આ નામ વધુ વ્યાપક અર્થીમાં ઘટાવે છે. સ્મૃતિ આધારિત વર્તમાન હિંદુ ધર્મ માટે પ્રાશ્ચાત્ય વિજ્ઞાનાએ બાહ્મણુ ધમ' નામ પ્રયેાજેલ છે. પરંતુ આ નામ વધુ સંકુચિત અ `ધરાવે છે. ખરી રીતે આ નામ હિંદુ ધમ જેટલું સરળ અને સ્પષ્ટ નથી. આથી અહીં હિંદુ ધર્મ એ રૂઢ અર્થ માં પ્રયેાજાયેલ પ્રયોગ છે, તેમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સમાવેશ થતા નથી. હિંદુ ધર્માંના બે તબક્કા છેઃ (૧) પૂર્વકાલીન વેદ ધર્મ (શ્રુતિ ધર્મ) અને (૨) ઉત્તરકાલીન સ્મૃતિ ધમ' (પુરાણેાયત). પૂર્વકાલીન વૈદ ધર્મ અથવા બ્રાહ્મણ ધર્મોનું મુખ્ય પ્રમાણ વેદ છે. વૈદ એટલે જ્ઞાન. એનું ખીજું નામ શ્રુતિ છે. શ્રુતિ એટલે સાંભળેલુ, વેદ ચાર છે : (૧) ઋગ્વેદ, (૨) યજુર્વેČદ, (૩) સામવેદ, (૪) અથવવેદ. વેદમાં સંહિતા, બ્રાહ્મણુ આરણ્યક અને ઉપનિષદ ત્રણેના સમાવેશ થાય છે. આ સમયે વિવિધ દેવા જેવા કે અદિતિ, બ્રહ્મા, અગ્નિ, વરુણુ, ઇન્દ્ર,
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy