SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધધર્મ ૧૨૯ સાણાનું ચૈત્યગૃહ : જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં વાહિયા ગામ પાસે આવેલી સાણાની ટેકરી પર લગભગ ૬૨ ગુફાઓ આવેલી છે. ભીમચારીની બાજુમાં આવેલ ચૈત્ય ગુફા ૫.૫ મીટર લાંબી અને ૪ મીટર પહોળી અને ૪ મીટર ઊંચી છે. આ ચૈત્યની પાછળની દીવાલ વિશિષ્ટ રીતે બંધાયેલ છે. ખંભાલીડાનું શૈત્યગૃહ ? આ ચૈત્યગૃહ સૌરાષ્ટ્રમાં ખંભાલીડા પાસે ભાદર નદીના કિનારે આવેલ છે. ચૈત્ય ગુફાના મુખ્ય દ્વાર આગળ, પુરા કદની પદ્મપાણિ અવલોકિતેશ્વર તથા વજપાણિ નામના બોધિસત્વોની પ્રતિમાઓ આવેલ છે. ધીગેશ્વરનું રૌત્યગૃહ : બરડા ડુંગરમાં ભાણવડ પાસે આવેલ રાણપર ગામ નજીક એક ચૈત્ય અને એક નાની ગુફા આવેલ છે. તે ધીંગેશ્વરના પૌત્યગૃહ તરીકે ઓળખાય છે. અહીંના લેકે રૌત્યના સ્તૂપને ધીંગેશ્વરના શિવ તરીકે પૂજે છે. આ ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઢાંક, ઝીંઝુટી, મંદિર, જેતલડ વગેરેમાં આવેલી ગુફાઓ, તથા કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ વગેરે ગુજરાતમાં નોંધપાત્ર છે. વિહારે ? બૌદ્ધ ભિક્ષઓના નિવાસ માટેની ઇમારતને વિહાર કહેવામાં આવે છે. સામાન્ય રીતે વિહારમાં મધ્યમાં એક રાખવામાં આવે છે. ચેકની ચારે બાજુ કુટીરની રચના કરવામાં આવતી. આવા વિહારે સ્તૂપોની આસપાસ બાંધવામાં આવતા. ગુફાઓ પાસેના વિહારમાં ખુલ્લે ચોક જોવા મળતો નથી. આવા વિહારો ગુજરાતમાં તળાજા, સાણા, બેરિયા, ઈટવા, ખંભાલીડા, દેવની મોરી વગેરે સ્થળે આવેલા છે. આમાં ડુંગર ઉપરના તેમજ મેદાનમાં આવેલા વિહારોને સમાવેશ થાય છે. આ સર્વેમાં દેવની મેરીને વિહાર નોંધપાત્ર છે. દેવની મેરીને વિહાર : આ ઈટેડી વિહાર શામળાજી પાસેના દેવની મોરી ગામેથી અત્યંત ખંડિત અવસ્થામાં મળી આવ્યો હતો. ૪૬ ૪ ૪૯ મીટરને વિહાર હતો. ચાકની બાજુમાં ગુ. ૯
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy