SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૨૯: છે, માટે તે બાબતને શ્રમણ અને શ્રમણે પાસક વર્ગો ખ્યાલ રાખી વિરાધનાથી બચવાની જરૂર છે. આવી રીતે વિરાધનાનો પ્રસંગ અને વિરાધનાથી બચવાના પ્રયત્નનું સ્થાન આ આષાઢ ચાતુર્માસી હોવાથી અને ઉપર જણાવેલાં કારણોથી લોકેત્તરદષ્ટિએ આષાઢથી શરૂ થતી માસીને “માસી” કહેવામાં આવે છે, અને તેમાં ધર્મ કરવાની વધારે સગવડ મળી શકે છે.. દેશવિરતિ ગુણઠણું એટલે સગવડિયો ધમ. મને કઈ પણ પ્રકારના શરીરની, ધનની, કુટુંબની, અગવડ પડવી ન જોઈએ. એટલે પાંચમા ગુણઠાણામાં હિંસાને ત્યાગ કર્યો પણ તે કેટલે?” સ્થાવરની હિંસા મારાથી છેડાય નહીં.” “મારે દુનિયાદારી ચલાવવી છે, તે ચલાવતાં જે કંઈ પણ ધર્મ થઈ શકે તે મારે કરે” આટલે જ ધર્મ છે. પાંચે પૃથ્વી આદિ સ્થાવરમાં જીવ માને છે, છ કાચની શ્રદ્ધા છે, સમક્તિ થઈ ગયું છે. છએ કાયાના છો તે માનવ છે, ત્યારે પૃથ્વીકાયને જીવ માનવાને કે નહીં ? જીવ માને તો માટી ઉપર કેદાળે શી રીતે ઉપાડે છે? તમે જીવતત્વ એકલા ત્રસકાયમાં વર્તન અપેક્ષાએ માન્યું. બાકીના પાંચ સ્થાવરમાં શું જીવ નથી એમ કહી શકે છે? છ કાયની શ્રદ્ધા કેવી રીતે કરી, જ્યારે હિંસામાં પાપ માને છે તે પાપથી ડરે છે કે નહીં ? જે રે છો તો પછી મારી ઉપર કેદાળ કેમ ઉપાડો છો ? ઘર કેમ બંધાવે છે? તે કે પાપ તે માનીએ છીએ. પાપ માને તો પાપ – ભીરૂ કયાં રહ્યા? એમ તે પાપમાં ભીરૂ છીએ પણ અમારી સગવડતામાં ખામી. ન આવે તેવી રીતે વિરતિ કરીએ છીએ. અમે પાપથી ડરવાવાળા તે છીએ, સમ્યક્ત્વવાળાને દર્શન મેહનીય ખર્યું છે, તેથી તત્વની પ્રતીતિ-શ્રદ્ધા થઈ છે. જો કે અપ્રત્યાખ્યાનવરણીય ઉદય હોવાથી મારી સાંસારિક સગવડ સાચવીને ધર્મ કરે પણ મારે અગવડતા વેઠીને ધર્મ કરે નથી. “સ્થાવર જીની દયાના તે પચ્ચક્ખાણ નહીં કરૂં, હાલતાં ચાલતાં ત્રસ જીવની દયા કરું છું. “કામ કરતાં મરી.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy