SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ શ્રી દર્શનપદ વ્યાખ્યાન વંદન નથી કરતા. મેં જીસ્ટ્રેટ ઝભે પહેરી ખુરશી પર બેસે નહિ, ત્યાં સુધી ધારાનો હિમાયતી સલામ કરે નહિ. ચાહે જેવા સમ્યગુદર્શનાદિને ધારણ કરનાર હોય પણ જ્યાં સુધી જૈનશાસનની રીતિમાં ન આવે ત્યાં સુધી પરમેષ્ઠિમાં આવી શકે નહિ. ગુણવાન વ્યક્તિ તે જ શાસનને શિરોધાર્ય. ગુણની પૂજાથી ગુણનું પૂજન આપોઆપ થાય. ગુરુપૂજાથી ગુણીનું પૂજન થતું નથી. ચાર નમસ્કાર રાખવા હતા ને ? ગુણીને નમસ્કાર ફાયદાકારક છે. અંધારે સેના, હીરા, મોતીને ન દેખીએ, મુદ્દો ભરીને પેટીમાં નાખ્યા તે સવારે કિંમત મળે. અંધારે કંઈ દેખ્યું ન હતું પણ ગુણને અજાણે પકડયા તે ફાયદો-લાભ કરે છે, પણ મારે એકલા તેજ, પાણી કસનું કામ છે. હીરા-મોતી–સુવર્ણનું કામ નથી, તેમ કરી ફેંકી દે તેમનું શું થાય ? જૈનશાસનમાં પ્રથમ વ્યક્તિને પકડે. વ્યક્તિ ગુણવાળી ચોક્કસ જોઈએ. અંધારે હીરા પકડાય તે સારા, કાંકરાંમાં કંઈ ન વળે. ગુણ પકડવાવાળાએ પ્રથમ નંબરે ગુણવાળી વ્યક્તિ પકડવી જોઈએ. રિખવદેવજી ઉપર મરુદેવીને રાગ કયા પ્રકારને હિતે? ગુણ આરાધનાનું ફળ ગુણ દ્વારાએ આપે. અષભદેવજી ઉપર મરૂદેવા માતાને અપૂર્વ રાગ હતું. સામાન્ય માતાને પુત્ર પર રાગ રહે તે સ્વાભાવિક છે. નાભિરાજા આંધળા નથી થયા. મરુ દેવા માતા પુત્ર વિયેગથી અંધ થયા; આટલે પ્રેમ-સ્નેહ છે. પુત્રને અંગે જે ડમાં આખો ગઈ તે સ્નેહ ખરે ને? તે વખતે કેવળજ્ઞાન કેમ ન થયું? હજાર વરસના વિયેગમાં આંખ ખાઈ પણ કર્મો ન ખવડાવ્યાં. હજાર વરસને રાગ, મારો છોકરે હતો તીર્થકરમાં, પણ કરાપણાની બુદ્ધિએ અંતમુહૂર્તને રાગ છોકરા બુદ્ધિએ નહિ, પણ તીર્થકર બુદ્ધિએ રાગ હતું. એ જ વ્યક્તિના રાગથી અંત મુહૂર્તમાં કેવળજ્ઞાન રૂપી આંખ મેળવાવી દીધી, કર્મ ખપાવ્યાં ને મોક્ષ મેળવ્યું. વ્યક્તિ એની એ જ, પ્રથમ પુત્ર તરીકે ધારણા હતી. તીર્થકર તરીકે ધારણ થઈ ત્યાં મોક્ષે ગયા. વ્યક્તિની આરાધના કરતાં ગુણ તરફ દષ્ટિ હોય તે યથાર્થ ફળ મેળવી શકાય. ગુણ તરફ દૃષ્ટિ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy