SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ મહિમા દર્શન પાણીની, તેજની વાત કરનાર સોનું, હીરા, મેતી ફેંકી દે તે તે લબાડ છે, ગુણોને પકડનાર જેમ હિરાના, મેતીના, સોનાનાં તેજ, પાણી, કસ જાણ્યા વગર તે વસ્તુ પકડનાર કંઈ પણ લાભ ન મેળવે, તેમ ગુણીને આરાધના ગુણ ન જાણે તે પણ કંઈ પામનારે થશે? વ્યક્તિની પૂજા વગર ગુણપૂજા તેની આરાધના શી રીતે ? માટે આ પાંચ વ્યક્તિઓને સિદ્ધચક્રમાં અગ્ર પદે મૂકી. પરમેષ્ઠિપદમાં બહુવચન કેમ રાખ્યું ? પાંચ વ્યક્તિ ન ગણું હેત અને જાતિ ગણું હેત તે બહુવચન મુકાત નહિ, બહુવચનમાં ઘડાપણું-ઘટત્વ જાતિ ન બેલાય. સેનાપણું ન બોલાય, માણસપણું ન બોલાય પણ બહુવચનમાં ઘડા, મનુષ્ય બોલાય. જાતિમાં એક જ હોય તેથી બહત્વને અવકાશ નથી. “નમો અરિહૃતાળમાં અરિહંતે વગેરે વ્યક્તિઓ ઘણી હોવાથી બહુવચન મૂકેલું છે. અનેક વ્યક્તિ છે. પરમેષ્ઠિ માત્રને તેમાં સ્થાન છે. વ્યક્તિપૂજા વગર ગુણપૂજાની વાત આકાશપુષ્પ જેવી છે. હંમેશાં પંચપરમેષ્ઠિને નમસ્કાર રાખે છે. નવપદ નવકારમાં દાખલ નથી કર્યા. “એસો પંચ નમુક્કારે” કેમ ન કહ્યું ? વ્યક્તિ છે ત્યાં ગુણ છે. એ નિયમ ગુણ હોય ત્યાં વ્યક્તિને નિયમ નહિ. પરમેષ્ઠિ છે ત્યાંય સમ્યક્ત્વાદિક છે. સમ્યક્ત્વાદિક હોય ત્યાં પરમેષ્ઠિપણાને નિયમ નથી. પરમેષ્ઠિમાં હોય તે જ પૂજ્ય - શ્રેણિકરાજા ક્ષાયિકસમ્યક્ત્વવાળા ખરા પણ પરમેષ્ઠિ નથી. ભરત ચકવત્તી ગૃહસ્થપણે કેવળજ્ઞાન પામ્યા છતાં તેઓ ગૃહસ્થ વેષમાં હતા, ત્યાં સુધી પંચ પરમેષ્ઠિમાં નથી; સંપૂર્ણ ગુણ છતાં પરમેષ્ઠિમાં દાખલ થઈ શકતા નથી મેજીસ્ટ્રેટ ઝભ્ભા સાથે ઓર્ડર કરે ને ન માને તે કેર્ટીનું અપમાન ગણાય. ઝભ્ભા વગર હુકમ કરે ને ન માને તે કેર્ટનું અપમાન નથી. જૈનશાસને સ્વીકારની સ્થિતિ રાખી છે, તે સ્થિતિમાં ન હોય અને ગુણવાન હોય તે પણ માનવા પૂજવા, લાયક નથી. પંચ પરમેષ્ઠિમાં દાખલ થયા હોય તે જ પૂજ્ય. કેવળજ્ઞાન જાણ્યા છતાં ચોથા ગુણઠાણુવાળે અવિરતિ જીવ બાહ્ય સાધુલીંગ વગરના કેવલીભરતને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy