SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ જ્ઞાનપંચમી દેશના સંવછરીના પલટાથી પંચમીનું પવાપણું ન જાય. આ બધા ઉપરથી સ્પષ્ટ થશે કે ભાદરવા સુદ પાંચમની સંવછરી પલટયા છતાં પણ તેનું પર્વતિથિપણું પલટયું નથી. અને ભાદરવા શુદ પાંચમનું પર્વતિથિપણું સાબિત રહેલું હેવાથી જ શ્રીતત્વતરંગિણી पृ. ५ किंच-पर्युषणाचतुर्थ्याः क्षये पञ्चमीस्वीकारप्रसङ्गेन त्वं व्याकुलो મવિશ્વના ગમ્મે એ વાકય કહીને ઉપાધ્યાયજી શ્રીધર્મસાગરજીમહારાજ પર્યુષણાની ચોથના ક્ષય ખરતને ભાદરવા સુદ પાંચમનું પર્વતિથિપણું ગણીને સંવછરી કરવાનો પ્રસંગ જણાવે છે. ઉપર જણાવેલા મુદ્દા પામીને શાસ્ત્ર અને પરંપરાને માનનારા. મનુષ્ય તે ભાદરવા સુદ પંચમીનું પર્વતિથિપણું તે માન્યા સિવાય રહેશે જ નહિ. તેથી તેનો ક્ષય કે વૃદ્ધિ માનવા તૈયાર થશે નહીં. જ્ઞાનપંચમી દેશના પંડિત વીરવિજયજીનું વચન. પંડિત શ્રીવીરવિજયજી મહારાજશ્રીએ તે શ્રી કપસૂત્રવાચનશ્રવણ અંગે જ પાંચમને સમાવેશ ચતુથીમાં જણાવેલ છે. તેથી પહેલાં લખે છે કે “પંચમી દિને વાંચે સુણે, હાય વિરોધી નિયમા” એ પંડિત વીર વિજયજીનાં બન્ને વચને એથની સંવછરીના પ્રતિપાદનનાં અને પંચમીએ ક૫ નહિ વાંચવાનાં છે, તેથી વીર વિજ્યજીના નામે ભાદરવા સુદ પંચમીનું પર્વ તિથિપણું ઉડાવ્યું તે અજ્ઞાનતા અને મહાપુરુષોના વચનની અવજ્ઞા કરનારું છે. જ્ઞાનપંચમીપર્વની પર્મા ઉપયોગીતા શાસનને શણગાર સૌભાગ્ય પંચમી જ્ઞાનને અદ્વિતીય પ્રભાવ. જગતમાત્રના જ સ્વાભાવિક રીતે સુખની ઈચ્છા કરે છે એ હકીકત સર્વ જનને અનુભવસિદ્ધ છે, પણ તે સુખની સિદ્ધિને ઉપાય બીજો કેઈજ નહિ પણ જ્ઞાન. એકેંદ્રિયથી માંડીને પંચંદ્રિય સુધીના અને ચારે ગતિના છે. વાસ્તવિક રીતે ડરતા હોય તે બીજા કશાથી નહિ પણ માત્ર દુઃખની
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy