SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ I fe આ કુતજ્ઞાનથીજ બાકીના જ્ઞાન પ્રકાશે છે. પિડનિર્યુકિતમાં કહ્યું છે કે સામાન્યરીતે ડિવિશુદ્ધિયાદિક શ્રુતજ્ઞાનને વિષે ઉપ ગુવંત એટલેકે શ્રતને અનુસારે “આ ક૯ય છે, આ અકર્ય છે. એવી રીતે જાણતાં શ્રુતજ્ઞાની જે કોઈપણ કારણથી અશુદ્ધ આહાર લાવે, તો પણ કેવળજ્ઞાની તેને આહાર કરે છે. જો કેવળી તે આહાર ગ્રહણ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય. કારણે કે છૌથસાધુ શ્રુતજ્ઞાનના બળે કરીને જ શુદ્ધ આહારની ગવેષણ કરી શકે છે. તે સિવાય બીજી રીતે કરી શકતા નથી. વિશેષાંક વશ્યકમાં પણ કહ્યું છે કે શ્રુતજ્ઞાન સૌથી મોટું છે. અને ત્યાર પછી કેવલજ્ઞાન છે. કારણ કે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાજ્ઞાનેને વિભાગ કરનાર છે. અર્થાત શ્રુતજ્ઞાનથી જ શ્રુતજ્ઞાન અને બીજા જ્ઞાનેની સમજણ પડે છે. શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગી સબંઘીજ્ઞાન. અજ્ઞાનથી આવરેલે જીવ હિત અહિત પદાર્થોને જાણતો નથી. અને જ્ઞાન એ પ્રયત્ન વિનાને પ્રદીપ દી) છે. નિરંતર ઉદય પામેલે સુર્ય છે. ત્રીજી આંખ છે. અને ચેરી ન શકાય કે હરણું કરી ન શકાય તેવું ધન છે. વળી કહ્યું છે કે પાપથી નિવૃત્તિ, કુશલપણામાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિ એ ત્રણે જ્ઞાનથી જ થાય છે. તત્વને વિષે છઠ્ઠા રાખવા રૂપ જે દર્શનાદિક તે પણ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે આપ્ત વિગેરેના ઉપદેશ વડે જ્યાં સુધી તત્ત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના પર શ્રદ્ધા શી રીતે થઈ શકે ? તે વિષે શાસ્ત્રમાં
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy