SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ - આખરે બહુ રના વસુંધરા રુમાની પડહ વગડાવ્યા. વિશાળી નગરીના ચોગાનમાં પડહ વાગી રહ્યો હતે. એ પડહના શબ્દો હતા, વિશાળા નગરીના રાજરાજેશ્વર મહારાજા નંદ આથી જાહેર કરે છે, “જે કઈ માનવી રાજકુમાર વિજયપાળનું દર્દ દૂર કરી આપશે, તેને રાજા પિતાનુ અધું રાજ્ય આપશે, તેમ જ તેનું રાજ્યમાં ભારે સન્માન કરવામાં આવશે. અધું રાજ્ય અને રાજસન્માન! કંઈ કંઈ યુવાને, પ્રૌઢે અને વિચક્ષણ પુરુષો ઘડીભર કલ્પનાના તરંગે પર સવાર થઈ ગયા, પણ પડહ ઝીલવાની કોઈની હિંમત ચાલતી ન હતી. વિશાળ નગરીના ટોળે વળેલા લોકે કૌતુકપૂર્વક આમતેમ જોતા હતા. કલાક, બે કલાક, ત્રણ કલાક વીત્યા પણ પડહને કેઈ સ્પર્શતું ન હતું. સમય આગળ વધતાં પ્રધાનકન્યા એ પડહ સ્વીકારે છે. એવી જાહેરાત એક યુવાને લેકેના ટેળાને ભેદીને દેડતા આવી કરી. તેણે કહ્યું, “પૂરજને, તમને જાણીને આનંદ થશે કે, આપણા મહાઅમાત્યે જાહેર કર્યું છે તેમની ચોસઠ કળા પારંગત પુત્રીએ મંત્રોચ્ચાર દ્વારા રાજકુમારને “વિ-સેમિ-રના ભેદી દર્દમાંથી મુક્ત કરવાની હામ ભીડી છે.” લેકે ઘડીભર સ્તબ્ધ બની ગયા. “રાજકુમારનું આવું ભયંકર દર્દ પ્રધાનપુત્રી દૂર કરી શકશે?” સહુના મનમાં એક સાથે શંકાનાં વમળ ઉમટવા લાગ્યાં.
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy