SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ "नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः જ જૈને રાઘા શાતિ મહત” મતલબ આત્માને ગમે તેવા તીર્ણ શસ્યા પણ છેદી ભેદી શકતા નથી, ગમે તે પ્રબળ અગ્નિ પણ બાળી શકતા નથી. ગમે તે મહાન સ્વયંભૂરમણ સમુદ્ર કેમ ન હોય પણ તે આત્માને ડૂબાડી શકતું નથી અને ગમે તે પ્રચંડ પવન પણ આત્માને સુકવી શકતું નથી કારણ આત્મા અમર છે. અખંડ છે અને અવિનાશી છે. એટલે આત્મા અહીંથી જ્યારે પહેલેકમાં સિધાવે છે ત્યારે અહીંના શરીરને છેડીને ત્યાં બીજું શરીર ધારણ કરે છે, અહીંની કોઈ પણ વસ્તુ સાથે આવતી નથી. ભક્ષ્ય અભક્ષ્ય અને પેય અપેયને વિવેક મૂકી રાતે અને દિવસે જાનવરની જેમ ખા ખા કરી શરીર ઋષ્ટપુષ્ટ બનાવે તે ય તેને અહીં જ મૂકીને જવાનું છે. જેની અંતે રાખ થવાની છે. - સત્ય તત્વને જાણવા માટે આપણે કશી જ મહેનત કરી નથી. આથી મેળવેલું દુર્લભ માનવ જીવન નિષ્ફળ જાય છે. માટે મળેલી દુર્લભ સામગ્રી નિષ્ફળ ન જાય તે માટે દરેક સમજુ આત્માએ ત્યાગી સાધુ મહાત્માઓના સમાગમમાં આવીને, ધર્મનું સ્વરૂપ સમજીને, શ્રદ્ધાને જીવનમાં કેળવીને ધર્મની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ. ૦૦૦૦૦૦૦
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy