SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ તત્વ પ્રકાશ આરાધક શી રીતે બનાવે? આરાધના કેને કહેવાય? આત્મા આરાધક ક્યારે કહેવાય? વિરાધના કેટલું નુકસાન કરે છે. વિરાધનાથી કેટલે સંસાર વધે છે? વિરાધના કઈ રીતે થાય છે? ક્યા ક્યા કામમાં વિરાધના થાય છે કે જેથી આત્મા વિરાધક બને છે, વિગેરે વિગેરે વિષયે ખૂબ સૂમ બુદ્ધિથી સમજવાની જરૂર છે, સમજ્યા વિના કેટલીક વખત આપણી બુદ્ધિ ધર્મની હોવા છતાં કેટલીક વખત ધર્મ વિઘાતક ક્રિયા થઈ જાય છે, માટે ધર્મને સમજવા માટે ગીતાર્થ ગુરુના સહવાસની જરૂર હોય છે. ત્યાગી અને જ્ઞાની ગુરુઓના સહવાસથી હંમેશા આત્મા ધર્મને સમજી શકે છે આરાધના , કરી શકે છે અને તેનું મહાન ફળ પણ મેળવી શકે છે. ધર્મની આરાધના કરનાર આત્મા ધર્ય સંપન્ન હવે જોઈએ. ફળ મેળવવામાં પણ ધર્મ રાખવાની જરૂર હોય છે. ફળ મેળવવામાં છે અને શ્રદ્ધા રાખવી પડે છે. કહેવત છે ને “ઉતાવળે આંબા ન પાકે” જલ અને ફળને માટે પણ ધર્મ રાખવાની જરૂર છે. આકડે, એરડે જલદી ફળે, પણ આંબાને ફળતા વાર લાગે. ધીરજ રાખે તે જ તેના મીઠા મધુરા ફળની પ્રાપ્તિ થાય. ધર્મ કરતા જે દુનિયાની વાસના હેય તે તેના ફળમાં ફરક પડે. એક વસ્તુમાં તેનાથી વિરુદ્ધ સ્વભાવવાળી બીજી વસ્તુનું મિશ્રણ થતાં તે તેને પિતાને સ્વાદ માર્યો જાય છે. તેમ ધર્મ કરતા આત્માના ધ્યેય સિવાય જે પુદ્ગલનું ધ્યેય હેય અને ભૌતિક વસ્તુની લાલસા હોય તે તેના ફળમાં પણ ઘણું મોટું અંતર પડે છે. | ધર્મ કરતા ક ઈક મળી જાય એવી ઈરછા હપ, મંદિરમાં
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy