SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચૌલુકયકાલીન અભિલેખા : એક અધ્યન ખેતરાને ખેડવા માટે ખેડૂતાની નિમણૂક પણ કરવામાં આવતી હતી. વિ. સં. ૧૨૬૪ના દાનપત્રમાં આ પ્રકારનો ઉલ્લેખ થયેલે છે.૨૦ ૧૩૮ ખેતીના મુખ્ય પાકોમાં મગ, તુવેર, અડદ, ઘઉં, ડાંગર અને જુવાર આ ધાન્યોના ઉલ્લેખ મળે છે. વળી નાર ંગી, લીંબુ, કેળ, કોઠાં, કરમદા, ચાાળા, પીલુ, કેરી, સીતાફળ, બિજોરાં, ખજૂર, શેરડી, બ્રુસ વગેરે ઉગાડવામાં આવતાં હતાં. બેશક, આ પ્રકારની માહિતી અભિલેખામાંથી પ્રાપ્ત થાય છે.૨૧ આ બધા ખેતીના પાક માટે તેમજ ખેતી માટે કૂવા તથા એ સાથેના હવાડાના નિભાવ માટે દાન આપ્યાનો ઉલ્લેખ વિ. સં. ૧૨૬૬ ના લેખમાં થયેલા છે.૨૨ આ પરથી ત્યાં કોસથી કદાચ સિંચાઈ પણ થતી હોવાનું કહી શકાય. (૩) વેપાર વણજ, અને મહેસૂલ-પદ્ધતિ : ચૌલુકયકાલના વેપાર–વાણિજ્ય અને મહેસૂલ અંગેની માહિતી અભિલેખામાંથી નહિવત્ મળે છે. જો કે કરવેરાઓ અને લાગાઓના ઉલ્લેખ મળે છે એ પરથી વેપાર-વણજ અંગે કેટલાક અંદાજ મેળવી શકાય છે. આ કાલ દરમ્યાન અનાજની ઊપજ ઉપર તેમજ વિવિધ ઉદ્યોગ-ધંધા પર જુદી જુદી જાતના કર અને લાગા લેવામાં આવતા. વિ. સં. ૧૦૫૩ (ઇ. સ. ૯૯૭)ના હસ્તિક`ડીના ધવલના બીજાપુરના લેખમાં કેટલાક કરવેરા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે,૨૩ જેવી કે (૧) ૨૦ પાઠ દીઠ ૧ રૂપક (૨) દરેક ગાડી દીઠ ૧ રૂપક (ગામમાંથી અથવા ગામની આગળથી પસાર થાય. એ વખતે) (૩) તેલની ઘાણીમાં એક ઘા દીઠ ૧ કપ (કઈ એટલે તાંબાના સિક્કો) (૪) ભટ્ટ લોકોએ ૧૩ પાનનાં ચેાલિકા (ચોલ્લિકા એટલે પાનનાં બીડાં) (૫) વ્રત (જુગાર) રમનારાઓએ ૧ પેલ્લક (૬) દરેક અરઘટ્ટ (રેટવાળા વા) ઘઉં અને જવને ૧ આઢક (ચાર શેર) (૭) પેડ્ડા—દીઠ પ પળા (૮) દરેક ભાર (૨૦૦૦ પલ) દીઢ ૧ વિશેષક (૯) રૂ, કેસર, ગૂદ, ઊન વગેરેના દરેક ભાર દીઠ ૧૦ લ (૧૦) રાળ વગેરે માટે ૧ દ્રોણ દીઠ ૧ માણુક.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy