SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - આનંદ પ્રવચન દર્શન કરે છે તે શું જોઈને ? તેનું પરિણામ વિચાર્યું? ભાડૂતી ઘરમાં જડી રાખવાનું ફરનીચર વધારે, તેમાં શું વળે? અરે! તે ઘરમાં ભીતે રતન જડાવ પણ ત્યાંથી નીકળે ત્યારે શું ? દુનિયાદારીમાં તે નિયમ પણ છે કે વીસ વર્ષ રહ્યા પછી માલિકની સત્તા નથી કે એકદમ ભાડૂત પાસે મકાન ખાલી કરાવે! અર્થાત્ મુદત થતાં ભાત જ ભટ્ટારક (શેડ-માલિક) બની જાય છે. પણ આ શરીર રૂપી ભાડાનું ઘર છે એવું છે કે તમને નીકળવા માટે નેટિસ આપવાની નથી. અને કાઢવામાં આવે ત્યારે કશી દાદ ફરિયાદ કરાય નહિ ! અરે ! ભલેને તમે એમાં સે વર્ષ રહ્યા હો, પણ તમને અહીંથી કાઢવામાં તે એક સમય ! (ચાર સેકંડ લગભગ) અરે ! કોડ પૂર્વનું આયુષ્ય હોય તેયે કાઢવામાં એક સમય ! પલ્યોપમ સાગરોપમના આયુષ્ય ભેગવ્યાં હોય તે પણ કાઢવામાં તે એક જ સમય ! દુનિયામાં તે તમે માલિકને વધારે ભાડાથી લલચાવો તો તમને તે વધારે રહેવા દે અને તે તમને નીકળવાનું ન પણ કહે, પણ આ શરીરરૂપી ઘરમાં તે એ કાયદો કે વાયદો ચાલી શકતો નથી. માને કે તમે દેવભવનું આયુષ્ય બાંધ્યું હોય ત્યાં દેવભવમાં ઘણું સુખ અને ઘણી સાહ્યબી છે, છતાં ત્યાંના અમુક વધારે વર્ષો રહેવાની બાલીએ પણ આ ભવમાં તમે રહેવા ઈચ્છે તે પણ ટકી શિકાશે નહિ. ચામડિયાનું ઘર જેવું આ શરીર છે. નવું ઘર કોઈ ભાડે પણ ન રાખે તેવા સ્વરૂપવાળું છે, છતાં આત્મા તેના ઉપર રેજ ને રોજ લેન કાઢી રહ્યા છે, અને જોખમદારી વધારી રહ્યો છે. વરલનમાં જે નાણું લઈ જવામાં આવે છે, તે નાણુંને દારૂ-ગોળામાં ધૂમાડે થાય છે, પણ નાણાંની જવાબદાર સરકાર થાય છે, માટે ભરનારનાં નાણાને વાંધો નથી એમ કહેવાય, કારણ કે પાર્ટી સદ્ધર છે. આત્મા પણ પોતાને અનંતજ્ઞાન તથા વીર્યાદિ ધનની બાધારીથી વાહી કરી કરીને દેવાદાર થાય છે. શાહુકારીના વ્યવહારમાં શિરીને સ્થાન નથી. કર્મરાજા પકકો મારવાડી શાહુકાર છે ! કઈ પાસે ન હોય છતાં “બાપુ મુએ બમણું લખી આપવા તૈયાર
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy