SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેણુ? ૪૧૩; થવો જોઈએ. પરંતુ શું એ ચમકારો આપણા હૈયામાં કદી થાય છે? જે વખતે તમે દીવાસળી સળગાવો છો, તે વખતે અસંખ્યાત તે ઉકાયના છની વિરાધના થાય છે અને તમારા હૃદયમાં કદી ખ્યાલ આવે છે? પિતાના એક પૈસાના લાભને ખાતર બીજાના હજાર રૂપિયાનું નુકસાન કરનારને તમે અધમ કહો છે, તે પિતાની ચાર આંગળની જીભ માટે બીજા હજારે જીવની હાનિ કરનારને, અરે ! પિતાની એક ઇન્દ્રિયની મઝાને પોષવાને માટે હજારોની એક યા બેઈન્દ્રિયોને સર્વનાશ વાળનારાને તમે કે કહેશો ? સાધુ જે સમયે તમને ઉપદેશ આપે છે, તે સમયે તમને ટાઢિયે (તાવ) આવે છે અને તમે ગરજી ઊઠે છે કે આ સાધુ અમને આવું કહે છે. આવી રીતે ગુસ્સે થતી વખતે તમે તમારા આત્માનું કેવી રીતે સત્યાનાશ વાળે છે તે તે વિચારે. તમે કોઈ કામ ન કરી શકો તે વાત જુદી છે, પરંતુ તે વાતને વિષે તમારી શ્રદ્ધા તો હોવી જ જોઈએને! તમારાથી કાંઈ ન બને તે ભલે, પરંતુ એટલું તે તમારા મનમાં રહેવું જ જોઈએ કે અમારા કાર્યથી છાએ કાયની વિરાધના થાય છે અને અનેક આત્માઓને પારાવાર નુકસાન થાય છે. આટલું પણ જો તમે તમારા મનમાં ધારણ કરી શકે તે પણ તમે માર્ગમાં છે એમ કહી શકાય. સમ્યગૃષ્ટિ જીવ પાપબંધ ઓછું કરે! કોર્ટમાં આપી દયા માંગી શકે છે, પરંતુ તે પોતાની આંખ કેર્ટની સામે રાતી કરીને નહિ. અહીં તમે વિરાધના રૂ૫ ગુને કરે છો, ગુરુ તમેને આરંભ–પરિગ્રહના દોષ સમજાવે છે, ત્યારે તમે તેના પર આંખો કાઢે છે. એ તમારી બુદ્ધિને શું કહેવું તે તમે જ વિચારી લે. તમારું આજે આવું જ વર્તન છે. તે વિચાર કરો કે કર્મરૂપી કોર્ટમાં તમારી શી દશા થવાની છે ? ગુને કરો, છતાં કોર્ટમાં દીલગીરી દર્શાવે તે તમારી સજા ઓછી થવાનો સંભવ છે, પરંતુ ગુને કરે અને વળી પાછા ન્યાયાધીશને ગાળો દે, તે તમારા
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy