SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૧ર આનંદ પ્રવચન દર્શન , હોત તે આપણે કદાપિ પણ આપણી જીભડીની મઝા માટે હજાર વનસ્પતિકાયને ભેગ લીધે ન હોત. જે આપણને સઘળા જેની કિંમત આપણા જીવાત્મા જેટલી જ મૂલ્યવાન લાગતી હોય તે આપણે શા માટે આપણું જીભના સ્વાદની ખાતર વનસ્પતિકાથ ઇત્યાદિ હજારો અને બેરટ કાઢી નાંખીએ છીએ? તમે કહેશે કે એ તે જગતને વ્યવહાર છે અને તે માટે વનસ્પતિકાયનો ભોગ લેવો પડે છે. પરંતુ તમારા વ્યવહારની ખાતર કાંઈ જીવાત્માની વિચારણાને આપણે દર મૂકી શકતા નથી. ધર્મની પ્રવૃત્તિ તમારો વ્યવહાર ધ્યાનમાં રાખીને થતી નથી. નદી પોતાના રસ્તા ઉપરથી ચાલી જાય છે, તે એ વિચાર કરતી નથી કે ફલાણે રસ્તે મગનભાઈ તરસ્યા બેડા છે માટે તેને માટે - હુ આડે રસ્તે થઈને જાઉં ? પણ નદી વહેતી હોય ત્યાં જઈને તમે પાણી પી આવે તેની સામે નદીને વાંધો નથી હોતું. ચરો એમ કહે કે “અમને બીજો રસ્તો સૂઝને નથી તેથી તેઓ કાંઈ ચેરી કરવાને પાત્ર ઠરતા નથી. અથવા તેમને ચેરી કરવાની છૂટ મળતી નથી. પિતાના સરખા બીજા છાને માનવા મુશ્કેલ છે. મહાવ્રતની એવી સ્થિતિ છે કે “તમે ખમે કે ન ખમે પણ એ તે પાળવું જ પડશે.” ઉપસર્ગ પરિસહ સહન કરવામાં તમે તમારી - શક્તિ પ્રમાણે કરે તે ચાલે. પરંતુ પાંચ મહાવ્રતમાં ન્યૂનતા હોય તે ન ચાલે. પાંચ મહાવ્રત, રાત્રિભેજન ઈત્યાદિમાં ખમત અખમતને સવાલ નથી. આહારને અંગે જ્ઞાન, દર્શન, ચારિત્રને વધારી શકે તે જ અસૂઝતા આહારની છૂટ હોઈ શકે. મૂળ વસ્તુ એ છે કે એ કાયના જીવોને આપણા જેવા જાણવા - એ કેટલું મુશ્કેલ છે? પહેલી વાત તે એ જ છે કે આપણને જીએ કાયના જીની શ્રદ્ધા જ નથી. જે છએ કાયને જેની આપણામાં શ્રદ્ધા હોત તે આપણે પૃથ્વી યા વનસ્પતિ કાયાદિની જે વખત વિરાધના કરીએ છીએ. તે સમયે આપણા અંતરમાં ભયંકર ચમકારે
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy