SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ૨૦૩ કાળમાં ૨૦ કડાકોડ સાગરોપમ છે. અર્ધ પુદ્ગલપરાવર્ત માં એવી અનંત અવસર્પિણ, ઉત્સર્પિણી કાળ! એ કાળ લાવવા ક્યાંથી? જઘન્ય આરાધના પછી પતિત થાય તે ઠીક, પણ પ્રત્યનિક થાય તો? હવે પતિત અને પ્રત્યનિકના અર્થ સમજે. બે ભાગીદાર હોય, તે જુદા પડી ફાગતી કરે તે પતિત. પણ જટીયા-ઉખેડ લડે તે પ્રત્યનિક. જે પતિત થાય તે ભાગીદાર સાથે ભાગીદારી માનતે બંધ થાય. પ્રત્યનિક થાય તે ભાગીદારથી છૂટે થઈ તેને તેડવા મથે. તેડવા ન ફરતા હોય તે આઠ ભવમાં મેક્ષ થાય. આ તે સમ્યકૃત્વ પામ્યા પછી તેડવા ફરે, મૂળ ઉત્પાદકની જિંદગી ઉપર હલ્લો કરવા તૈયાર થાય, બની શકે તેટલા હલ્લો કરે; આવું કરનારે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં ફરે નહિ. કેટલાકના મત પ્રમાણે છેલ્લા પુદ્ગલપરાવર્તવાળાને શુકલપાક્ષિક કહે છે. મેક્ષનો વિચાર થયો એટલે એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર રખડવાને નથી. જે માટે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે – જૈનશાસન એવી જાતનું કલ્પવૃક્ષ છે કે મનમાં પૂરેલા મોતીના. ચેક સાચા કરવાની તેનામાં તાકાત છે. દુનિયાના વ્યવહારમાં મનથી. મેતીના ચોક પૂરવાથી કંઈ ન વળે. અહીં મનમાં મેતીના ચોક, પૂરે તે તેને સાચા કરી દેવાની પૂરી તૈયારી છે. તમારો વિચાર થાય એટલે તમને મેક્ષ દેવા તમારી સાથે આ શાસન બંધાય છે. હવે સાચા મોતીના ચેક થઈ જાય, તે મનમાં મેતીના ચેક પૂરવામાં અડચણ શી? મનમાં મોતીના ચાક પૂરોતે પણ સાચા કરી આપવાની. આ શાસનની પ્રતિજ્ઞા છે. પણ વાંધો ત્યાં છે કે હજી આ મન મેક્ષની. માન્યતારૂપ મેતીના ચેક મનમાં પૂરતું નથી. આઠ ભવમાં જ એક્ષપ્રશ્ન : આ જીવે અનંતી વખતે ચારિત્ર લીધાં તે વખતે મોક્ષ. માનેલે કે નહિ?
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy