SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ આનંદ પ્રવચન દર્શન સમ્યકત્વવાળાને કાંઈક ન્યૂન અર્ધ પુદગલપરાવર્ત સંસાર છે અને શુકલપક્ષી પણ તેમ જ છે. પણ તે છતાં એ બેની વચ્ચે મેટ ફરક છે. સમ્યક્ત્વવાળાને જે અર્ધ પુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો તે હજારમાં લાખમાં અસંખ્યાત જેમાં એક બે જેને માટે છે! અર્ધ પુદગલપરાવર્ત સંસાર ક્યા સમકિતિને હોય? જગતમાં તો મોટામાં મોટી આશાતના કપે, અસંભવિત હોય તેવી પણ આશાતના તમારી કલ્પનામાં ખડી કરે તેવી આશાતના ધ્યાનમાં આવે તેટલીવાર કલ્પો. આવી આશાતના ભગવતે સમ્યફ વધારી વધુમાં વધુ અર્ધ પુદગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. પતિત અને પ્રત્યનિક સમ્યકૃત્વને અંગે કહેલો અર્ધ પુદ્ગલપરાવત એ છેલ્લામાં છેલ્લી કેટી છે, જ્યારે શુકલપક્ષને અંગે કહેલો અર્ધ પુગલપરાવર્ત કાળ એ પહેલામાં પહેલી કોટી છે. ગમે તે જીવ પછી ચાહે તે તે એકેન્દ્રિયમાં હય, નિગોદમાં પડ હોય કે શ્રી મરૂદેવા માતા સરખા અનાદિ નિગોસ્થાનમાંથી નીકળી સીધા મેક્ષે જવાવાળા હોય તે એ પણ તેમને મેક્ષે જવા પહેલા અર્ધ પગલપરાવત કાળ લઈએ ત્યારથી શુકલપક્ષ શરૂ થઈ ગયે. આવું જ્ઞાનીની દષ્ટિએ નક્કી થાય તે તે કાળ શુકલપક્ષ છે. અર્ધ પુદગલ પરાવત બાકી હોય ત્યારથી શુકલપક્ષ શરૂ થાય. હવે એક બીજું કારણ સમજે. સમ્યક્ત્વવાળાને અર્ધ પુરૃગલપરાવર્ત સુધી રખડવાનું કેઈકને જ થાય. તેનું કારણ ધ્યાનમાં લે. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભાવમાં મેક્ષ આપનારી હોય, ઉત્કૃષ્ટ આરાધના તદ્દભવમાં મેક્ષ આપનારી હોય, અને મધ્યમ આરાધના પાંચ ભવમાં મોક્ષ આપનારી હોય, તે પછી અર્ધ પુદ્ગલપરાવર્ત કાળ કયાંથી શરૂ કરે અને ક્યાંથી પૂરો કરે? આપણે આઠ ભવ કલ્પો. તે પણ ૩૩ના ૮ (૩૩૪૮૨૬૪) ૨૬૪ સાગરેપમ એટલે કાળ થયો, જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાળમાં તે અતી ઉત્સર્પિણી, અને અવસર્પિણ છે. એક ઉત્સર્પિણ-અવસર્પિણી.
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy