SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] અને મને કહ્યું કે “તમે ભાઈ માણેકજી કલ્યાણજી પારેલાવાળાનું ચરિત્ર પ્રકાશિત કર્યું અને આપણું અધ્યાત્મગુરૂ અને સેવામૂર્તિ શ્રી પંડિતજીના ચરિત્રને વિચાર કેમ કરતા નથી.’ આ ભાવના મારા મનમાં તે ઘણા સમયથી ઘળાતી હતી પણ પંડિતજીના જીવનના પ્રસંગે મેળવવા મુશ્કેલ તે નહિ પણ આસાન નહતા. તેમને એ કેઈ આપ્તજનશિષ્યસમે નહોતે, જે ગુરૂના ચરિત્રની નોંધ રાખે. મારી પાસે પણ જીવનચરિત્ર માટે સામગ્રી નહોતી પણ શ્રી વિસનજીભાઈએ પંડિતજીની યાદી આપી અને મારી ભાવના જાગી. ચરિત્ર માટે આર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં ઘણા સમય પહેલાં હું શેઠશ્રી રામજી રવજી લાલનને મળે હતું અને કહ્યું. પૂજ્ય પંડિતજીને જે થેલી સમર્પણ કરી હતી. પાંચેક હજાર રૂપીઆ વધ્યા હશે તેમાંથી રૂા. ર૫૦૦) જેટલા મળે તે પંડિતજીનું જીવનચરિત્ર પ્રકાશિત કરવા ભાવના છે. ” પણ શ્રી રામજીભાઈએ જણાવ્યું કે “પંડિતજીના નામની મુંબઈમાં લાઈબ્રેરી કરવા ઈચ્છા છે અને તેમાં બે-ત્રણ હજાર ખૂટશે તે પૂરા કરી લઈશું.” આ વિચાર પણ ઘણે લાભકારક હોવાથી તે આશા છેડી. અને શ્રી વિસનજીભાઈએ વચન આપ્યું કે રૂ. ૧૫૦૦) જેટલા હું મિત્રો પાસેથી મેળવી લઈશ. બીજા તમે મેળવી લેશે. અને પંડિતજીના જીવન પ્રસંગેનું સાહિત્ય મેળવી સુંદર ચરિત્ર પ્રકાશિત કરીએ. મને એ વાત ગમી ગઈ અને પંડિતજીની જીવનયાત્રા પ્રકાશિત કરવા નિર્ણય કર્યો.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy