SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) રૂપી નાવ લઈને આપ આવ્યા છે. અત્યાર સુધી ઈન્દ્રિ રૂપી ચેરીએ નેહરૂપી પાસ વડે મજબૂત બાંધીને સુધાતૃષાથી પીડિત થયેલા મને ભવરૂપી કેદખાનામાં પટક હતું, જેથી જન્મમરણ, આધિવ્યાધિના પણ રૂપી ઘા લાગવાથી ઘણા જ દુઃખી થયેલા એવા મારું કઈ શરણ થયું નહતું, પરંતુ મારા શુભ કર્મના ભેગે કરી બંધાયેલાને છોડાવવાવાળા, નહિ રક્ષણવાળાની રક્ષા કરવાવાળા પરમ કૃપાળુ આપ મળ્યા છે. આ સંસારમાંથી જીવને નરત્વની તથા દેવત્વની અદ્ધિઓ પ્રાપ્ત થવી સુલભ છે, પરંતુ સદ્ગુરુને સંગ મળ અતીવ દુર્લભ છે. આટલા કાળ સુધી મેં ઘણીવાર ષરસ ભેજનને લલુપતાથી આસ્વાદ કર્યો પરંતુ જન્મમરણને દૂર કરનારી સદુગુરુની વાણીરૂપ સુધા (અમૃત)નું આસ્વાદન ન કર્યું. વિદ્વાન હોય કે પંડિત હેય પણ ગુરુ મહારાજ વિના સમ્પકત્વના સ્વરૂપને જાણતા નથી. જેમ મેટાં ચક્ષુવાળે હેય તે પણ રાત્રીએ દીપક વિના પદાર્થને દેખી શકતા નથી, તેવી જ રીતે જીવ પણ ગુરુ વિના ખરા તત્ત્વને જાણી શકતો નથી. સંસારી જીવોને તમામ ઠેકાણે પાપને ઉપદેશ દેવાવાળાનો સંભવ ઘણો હોય છે. લોકે પણ અનાદિકાળના અભ્યાસથી સ્વયમેવ પાપનાં કાર્યો કરવા તત્પર થાય છે. પરંતુ સર્વ પ્રકારના હિતને ઉપદેશ કરવાવાળા તથા જેઓના સમાગમથી અનેક જન્મના પાપ ભસ્મીભૂત થાય છે એવા પરમ ઉપકારી ગુરુ મહારાજને સંગ જીવને મળ ઘણે જ દુર્લભ છે; માટે હું મારા આત્માને ઉચ્ચ શ્રેણી ઉપર ચઢાવું.”
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy