SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) પાપસ્થાનક પ્રેમે અઢાર આલાવીને, કયારે ખમાવીશ સહુને ધરી ઉલ્લાસ જે; અણુસણ કરી આ દેહની મમતા મૂકીને, કયારે માનીશ મૃત્યુ-મહેસવ ખાસ જે સફળ થજો મારા એ મનના મનેરશે. ત્રણ મારથ મનના ફળશે જે સામે, તે સમયે માનીશ મુજને ધન્ય ધન્ય છે; ત્રણ મરથ મનથી ચાહું સર્વદા. ભક્તિ' ભાવે પ્રભુ પાસે યાચું ન અન્ય જે સફળ થજો મારા એ મનના મારશે. ભવ્ય જીવને સંયમની પ્રાપ્તિની અનંતર મોક્ષપ્રાપ્તિ ભવ્ય જીવ જ્યારે અમૃત સરખી સંસારને નિકંદન કરનારી સશુરુની દેશના સાંભળે છે ત્યારે તેને સંસાર કડ ઝેર થઈ પડે છે. અને ગુરુ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કરતાં આવા ઉદ્દગાર કાઢે છે. હે ગુરુમહારાજ! હે પરમ ઉપકારી ! હે કરુણાના સાગર ! અનાદિ કાળથી મેહનિદ્રાને વશ થવાથી નષ્ટ થઈ ગયું છે શુદ્ધ ચૈતન્ય જેનું એવા મને, આપ સાહેબે સારી રીતે જગાડ, જેથી આ જગતમાં ધન્ય અને પુણ્યશાળી છની કેટીમાં હું અગ્રેસરી થયે. કારણ કે અનંત કાળથી અવળે રસ્તે ચડેલા મને શુદ્ધ માર્ગ દેખાડનાર આપ મળ્યા. આ સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા અને વિવિધ પ્રકારની આધિવ્યાધિરૂપ જળજંતુઓ વડે પીડા પામતા એવા મને સંસાર સમુદ્રમાંથી તારવા માટે સદ્ધર્મ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy