SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કપડાંને નવી પાણી કાઢી નાંખી તડકે સુકવીએ તે જલદી સુકાઈ જાય તેવી રીતે આયુને જે ઉપક્રમ ન લાગે તે જેટલા વરસનું આયુ બાંધ્યું હોય તે પૂરું કરીને પછી મરણ પામે અને ઉપર બતાવેલા સાત પ્રકારના ઉપક્રમમાંથી કેઈપણ ઉપક્રમ લાગે તે પાંચ મિનિટ પૂરી ન થાય ને મરણને શરણ થવું પડે. આ બીના સપક્રમ આયુવાળા માટે જાણવી.નિરૂપક્રમ આયુવાળા યુગલિક, દેવતા નારકી, ચરમશરીરી, તીર્થકર વગેરે-જેને સિદ્ધાંતમાં નિરૂપકમી આયુવાળા કહ્યા છે–તે પિતાનું આયુ પૂરું કરીને જ કાળધર્મ પામે-જેમ નારકીના જીના તલ તલ જેવડા ટુકડા પરમાધામી કરે છે છતાં તે મરી જતા નથીઅથાગ વેદના ભેગવે છે, તેવી રીતે નિરૂપકમી આયુવાળા માટે સમજવું. જુઓ – પાતાલસુંદરીએ જયંતસેન રાજાને મારી નાખવા ઝેર દીધું છતાં ભેંયરામાંથી બહાર નીકળે કે ઊલટી થઈ, ઝેર નીકળી ગયું. ચરમશરીરી હોવાથી નિરૂપક્રમ આયુ ન તુટયું. ભીમસેનને દુર્યોધને ઝેર દીધું હતું છતાં કાંઈ ન થયું. કંડ રાજાને દેવીએ પર્વતમાં પછાડયા છતાં ચરમશરીરી હેવાથી મરણ ન પામ્યા. આયુ જેટલું બાંધ્યું હોય તેમાં એક મિનિટ વધે નહિ પણ ઘટે ખરૂં તે ચોક્કસ સમજવું. તે પછી આવા શંકાશીલ આયુ ઉપર હે આત્મા ! વિશ્વાસ રાખીશ નહિ. આજ આનંદથી તું બેઠો હેય તે પણ એકકસ જાણજે કે, આવતી કાલની સવાર તે દૂર રહી પરંતુ બપોર જ્યારે દેખે ત્યારે ખરે. જે શાસ્ત્રકાર ભલામણ કરે છે કે ધર્મ કરવામાં વિલંબ કરે નહિ – તેને જરા પણ ન હોવાથી
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy